Site icon

Dengue Alert: ડેન્ગ્યુના દર્દીઓ માટે પેનકિલર દવા લેવી બની શકે છે ગંભીર સ્થિતિનું કારણ

Dengue Alert: એક નિષ્ણાત ના જણાવ્યા મુજબ ડેન્ગ્યુમાં માત્ર પેરાસિટામોલ લેવી જોઈએ, અન્ય પેનકિલર દવાઓથી પ્લેટલેટ્સ ઘટી શકે છે

Dengue Alert: Painkillers Can Worsen the Disease,

Dengue Alert: Painkillers Can Worsen the Disease,

News Continuous Bureau | Mumbai

દિલ્હી સહિત દેશભરમાં ડેન્ગ્યુ ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. એક હોસ્પિટલ ના ડોક્ટર એ ચેતવણી આપી છે કે ડેન્ગ્યુના દર્દીઓએ પેનકિલર દવાઓ લેવી નહીં જોઈએ. આ દવાઓ પ્લેટલેટ્સ  ની સંખ્યા ઘટાડે છે, જે દર્દીને ગંભીર સ્થિતિમાં લઈ જઈ શકે છે

Join Our WhatsApp Community

પ્લેટલેટ્સ કેમ છે મહત્વપૂર્ણ?

પ્લેટલેટ્સ એ લોહી ના ઘટકો છે જે શરીરમાં રક્તસ્ત્રાવ અટકાવે છે. ડેન્ગ્યુમાં આ પ્લેટલેટ્સ ઝડપથી ઘટી જાય છે. જો દર્દી પેનકિલર અથવા નોન-સ્ટેરોઇડલ એન્ટી-ઇન્ફ્લામેટરી દવા (NSAID) લે છે, તો તે થ્રોમ્બોક્સિન A2 (Thromboxane A2)ના ઉત્પાદનને અટકાવે છે, જે પ્લેટલેટ્સને કાર્યક્ષમ બનાવે છે. પરિણામે, રક્તસ્ત્રાવ થવાની શક્યતા વધી જાય છે અને દર્દી ગંભીર સ્થિતિમાં પહોંચી શકે છે

ડેન્ગ્યુના લક્ષણો અને ગંભીર સંકેતો

ડેન્ગ્યુના સામાન્ય લક્ષણોમાં વધુ તાવ, આંખોની લાલી, શરીર પર ચકતા, માથાનો દુખાવો, સાંધા અને હાડકીઓમાં દુખાવો, ઉલટી અને થાક શામેલ છે. જો પેટમાં દુખાવો, સતત ઉલટી, શ્વાસ લેવામાં તકલીફ, રક્તસ્ત્રાવ અથવા ખૂબ જ થાક લાગે તો તરત હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ. નિષ્ણાતો નું કહેવું છે કે ડેન્ગ્યુમાં તાપમાન ઘટ્યા પછી પ્લેટલેટ્સ ઘટે છે, જે મલેરિયા થી અલગ છે

આ સમાચાર પણ વાંચો : Diabetes Drug: ડાયાબિટીસની દવા હવે હૃદય અને કિડની માટે પણ ફાયદાકારક, જાણો રિસર્ચ માં શું થયો ખુલાસો

બચાવ માટે શું કરવું?

ડેન્ગ્યુથી બચવા માટે મચ્છરો ના ઉપદ્રવને રોકવો જરૂરી છે. ઘરના આસપાસ પાણી ન જમવા દેવું, મચ્છરદાની નો ઉપયોગ કરવો, સંપૂર્ણ કપડાં પહેરવા અને શરીરમાં પાણીની ઉણપ ન થવા દેવી. નિષ્ણાતો ના મતે, ડેન્ગ્યુમાં માત્ર પેરાસિટામોલ લેવી જોઈએ અને કોઈપણ દવા ડૉક્ટરની સલાહ વિના ન લેવી જોઈએ.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Fennel Cumin Water Weight Loss: ચરબી ઓગાળવાનો રામબાણ ઈલાજ: વરિયાળી અને જીરુંનું પાણી વધતા વજન પર લગાવશે લગામ; જાણો કયા સમયે પીવાથી થશે સૌથી વધુ ફાયદો
Stress: શું તમે પણ સતત તણાવમાં રહો છો? સાવધાન! આ સાયલન્ટ કિલર શરીરને અંદરથી કરી નાખશે પોલું; જાણો બચવાના રામબાણ ઉપાયો
Cinnamon Health Benefits for Diabetes: ડાયાબિટીસના દર્દીઓ માટે બેસ્ટ ટિપ: ફળ ખાતા પહેલા કરો આ એક કામ, બ્લડ સુગર કંટ્રોલમાં રહેશે અને સ્વાદ પણ વધશે
Tragic Suicide in Kalyan: કલ્યાણમાં બેંક કર્મચારીનો આત્મઘાતી અકાળ: ‘રેબીઝ’ થઈ જશે તેવા ભય અને માનસિક તણાવમાં યુવાને ટૂંકાવ્યું જીવન.
Exit mobile version