Site icon

Sugar: તમારા શરીરમાં દેખાશે આ જબદસ્ત ફેરફારો, જો તમે 14 દિવસ માટે ખાંડ ખાવાનું છોડી દો તો… જાણો વિગતે…

Sugar: લોકો ખાંડનો ઉપયોગ તેમના રોજિંદા આહારમાં કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો. વધુ પડતાં ખાંડનો ઉપયોગ તમારા શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે, જાણો અહીં જો તમે 14 દિવસ માટે ખાંડનું સેવન બંધ કરો છો. તો શરીરમાં તેના પરિણામો આવે છે.

Sugar These drastic changes you will see in your body, if you stop eating sugar for 14 days... Know more...

Sugar These drastic changes you will see in your body, if you stop eating sugar for 14 days... Know more...

News Continuous Bureau | Mumbai 

Sugar: ખાંડ આપણા બધાના આહારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ચા-કોફીથી માંડીને બિસ્કિટ, જ્યુસ, ચોકલેટ અને તૈયાર ખાદ્યપદાર્થોમાં ખાંડ હોય છે. ઉપરાંત, ખોરાકનો સ્વાદ વધારવા માટે પણ ખાંડનો ઉપયોગ સામાન્ય બાબત છે. પરંતુ, ખાંડનું સેવન ( Sugar intake ) શરીર માટે હાનિકારક પણ હોઈ શકે છે અને વધુ પડતી ખાંડ સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ બીપી અને હૃદય રોગ જેવા ગંભીર રોગોને પણ જન્મ આપી શકે છે. પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો તમે 14 દિવસ સુધી ખાંડ ખાવાનું બંધ કરશો તો શું થશે?  

Join Our WhatsApp Community

તો ચાલો જાણીએ હેલ્થ અને લાઈફસ્ટાઈલ એક્સપર્ટ  પાસેથી કે 14 દિવસ સુધી ખાંડ છોડી દેવાના શું ફાયદા છે. 

દિવસ 1-3: આ લક્ષણો દેખાશેઃ પ્રથમ 3 દિવસ માટે ખાંડ છોડવી ખૂબ મુશ્કેલ હોઈ શકે છે. જેમાં માથાનો દુખાવો, પેટમાં દુખાવો, થાક જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. જે સામાન્ય બાબત છે. આ એક સંકેત છે કે તમારું શરીર ખાંડ વિના જીવી શકે છે. 

દિવસ 4-7: ઊર્જા અને ધ્યાનઃ ચોથા દિવસથી તમારું શરીર સંપૂર્ણપણે તાજગી અનુભવશે. તેનાથી તમે એકદમ ઉર્જાવાન અનુભવશો. આ ઉપરાંત તમારું શુગર લેવલ પણ નિયંત્રણમાં રહેશે. 

દિવસ 8-10: પાચનઃ જેમ જેમ તમે ખાંડ ખાવાનું બંધ કરો છો તેમ તેમ તમારું પાચન સુધરવા લાગશે. તમને કબજિયાત, પેટનું ફૂલવું અને પેટ સંબંધિત અન્ય ઘણી સમસ્યાઓથી રાહત મળશે. 

દિવસ 11-14: ભૂખ ન લાગવી અને સારી ઊંઘઃ ખાંડ છોડવાના બીજા અઠવાડિયા પછી, તમારી મીઠાઈ ખાવાની ઇચ્છા ઓછી થશે અને તમારું શરીર તમને સારુ લાગલા લાગશે. આ સિવાય તમારી ઊંઘ સંબંધિત સમસ્યાઓ પણ ખતમ થઈ જશે.  

આ સમાચાર પણ વાંચો  :  Today’s Horoscope : આજે ૨૮ જુલાઈ ૨૦૨૪, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

Sugar:  ખાંડ છોડવાના ફાયદા 

  1. બ્લડ શુગર લેવલ કંટ્રોલ રહેશેઃ જો તમે 14 દિવસ સુધી ખાંડ નહી ખાઓ તો તમારું બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહેશે. ખરેખર, ખાંડ સ્થૂળતા અને ડાયાબિટીસનું જોખમ વધારે છે. આવી સ્થિતિમાં, આહારમાંથી ખાંડને દૂર કરવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે. પરંતુ જો તમે ફરીથી ખાંડ લેવાનું શરૂ કરો છો, તો તે બ્લડ સુગરના સ્તરમાં અચાનક સ્પાઇકનું કારણ બની શકે છે. 
  2. વજન ઘટાડવામાં મદદ કરશેઃ ખાંડ એ ઉચ્ચ કેલરીવાળો ખોરાક છે. આવી સ્થિતિમાં વધુ પડતી ખાંડનું સેવન તમને સ્થૂળતાનો શિકાર બનાવી શકે છે. જો કે, જો તમે ખાંડનું સેવન બંધ કરો છો, તો તે વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. 
  3. થાક દૂર થશેઃ ખાંડનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ ખૂબ જ ઝડપથી વધે છે. જેના કારણે તમે થાક અને સુસ્તી અનુભવવા લાગો છો. પરંતુ, જો તમે ખાંડનું સેવન બંધ કરો છો, તો તે તમારા બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખી શકશો. જેના કારણે તમે દિવસભર ઉર્જાવાન અને સક્રિય અનુભવ કરશો.
  4. રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહેશેઃ ખાંડના વધુ પડતા સેવનથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. આવી સ્થિતિમાં, તમે ઝડપથી રોગો માટે સંવેદનશીલ બની જાઓ છો. પરંતુ, જો તમે ખાંડનું સેવન બંધ કરો છો, તો તે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરશો.

(Note: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ અને સૂચનોને અનુસરતા પહેલા, ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)  

 

Benefits of Arjun Bark Water: અર્જુનની છાલનું પાણી હૃદય માટે છે વરદાન: હાઈ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ પર મેળવો કાબૂ; જાણો પીવાની સાચી રીત અને કેટલા દિવસ સેવન કરવું.
Sweating and Health: શું તમને પરસેવો નથી વળતો? તો સાવધાન! પરસેવો પાડવો એ શરીર માટે કુદરતી વરદાન છે, જાણો તેની પાછળનું વિજ્ઞાન.
Pomegranate Peel Tea Benefits શું તમે પણ દાડમની છાલ ફેંકી દો છો? આજથી જ ડબ્બામાં ભરી રાખજો! જાણો તેની અદભૂત ચા બનાવવાની રીત અને હેલ્થ બેનિફિટ્સ
Diabetes Control Tips: ડાયાબિટીસના દર્દીઓ માટે રાત્રે આ ૧ મસાલો ચાવવો છે રામબાણ ઈલાજ; બ્લડ શુગર લેવલ કુદરતી રીતે ઘટાડવા અપનાવો આ રીત.
Exit mobile version