Manisha Joshi (MSU) : 1971માં આ દિવસે જન્મેલી મનીષા જોશી ગુજરાતી ભાષાની કવયિત્રી ( Gujarati Poet ) અને પત્રકાર છે. તે કંડારા, કંસારા બજાર, કંદમૂલ અને થાક સહિતના ચાર કાવ્યસંગ્રહોની લેખક છે. તેમના કાવ્ય સંગ્રહ કંદમૂલને ગુજરાત સાહિત્ય અકાદમીનું 2013નું પ્રથમ પારિતોષિક મળ્યું હતું. આધુનિક ગુજરાતી કવિતામાં તેમના યોગદાન માટે 1998 માં સંસ્કૃતિ પ્રતિષ્ઠાન દ્વારા તેમને સંસ્કૃતિ પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા.