Rang Avadhoot : 1898 માં આ દિવસે જન્મેલા, રંગ અવધૂત, જન્મે પાંડુરંગ વિઠ્ઠલપંત વળામે ( Pandurang Vitthalapant Valame ) , હિંદુ ધર્મના દત્ત પંથ (દત્તાત્રેયની ગુરૂચરિત્ર પરંપરા)ના સંતકવિ હતા. તેમને ગુજરાતમાં દત્ત પંથના વિસ્તરણનો શ્રેય આપવામાં આવે છે. સન્યાસ સ્વીકારતા પહેલા તેઓ એક સામાજિક કાર્યકર અને સ્વતંત્રતા કાર્યકર્તા હતા. ભારતના ગુજરાત રાજ્યમાં દત્ત-પંથના ( Datta-panth ) વિસ્તરણ માટે તેમને શ્રેય આપવામાં આવે છે. તેમણે 45 થી વધુ રચનાઓ મોટે ભાગે આધ્યાત્મિકતા અને ભક્તિને લગતી લખી છે.