Veer Surendra Sai : 1809 માં આ દિવસે જન્મેલા, વીર સુરેન્દ્ર સાંઈ એક ભારતીય ક્રાંતિકારી હતા, જેમણે ભારતમાં બ્રિટિશ શાસન સામે લડવામાં પોતાનું જીવન વિતાવ્યું હતું. તેઓ 16મી સદીમાં ચૌહાણ વંશના સંબલપુરના મહારાજા મધુકર સાંઈના વંશજ હતા. સાંઈએ સંબલપુરમાં અંગ્રેજો સામે યુદ્ધ શરૂ કર્યું જેના કારણે તેમને 1840થી 1857 સુધી 17વર્ષ જેલમાં રહેવું પડ્યું. તેમની બહાદુરી એટલી મહાન હતી કે સામાન્ય લોકોએ તેમને બીરા (વીર) ની ઉપાધિ આપી. આમ તેઓ વીર સુરેન્દ્ર સાંઈ તરીકે જાણીતા થયા.