Site icon News Continuous Bureau | Mumbai

ધર્માતરણ અટકાવવા માટે VHP કટિબધ્ધ. 2500 દલિતોને મંદિરના પૂજારી બનાવ્યાં. વાંચો વિસ્તૃત માહિતી.

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો

મુંબઇ

Join Our WhatsApp Channel

26 ઓગસ્ટ 2020

વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) એ વિશ્વની સૌથી અગ્રણી હિંદુવાદી સંસ્થા છે. વીએચપી હિન્દુઓ વચ્ચેના જાતિ ભેદભાવને નાબૂદ કરવા માટે રાત-દિવસ કામ કરી રહી છે. જેના સારા પરિણામો હવે જોવા મળી રહયાં છે. થોડા દિવસો અગાઉ 2500 દલિતો વિવિધ મંદિરોમાં સક્રિય  થયા હોવાના સમાચારો હતાં. વિહિપ ના પ્રયત્નોથી તૈયાર થયેલાં ઘણા પૂજારીઓ, સરકારની દેખરેખ હેઠળ સંચાલિત મંદિરોની પેનલમાં જોડાઇ રહ્યા છે.  

અત્યાર સુધી માન્યતા હતી કે હિન્દુ ધર્મમાં, પૂજારીઓ હંમેશા ઊંચી જાતિના- સવર્ણો જ હોય છે. દલિત અથવા નીચી જાતિમાંથી કોઈ મંદિરના પૂજારી કે કાર્યકર બની શકતા નથી. આ વાતને વીએચપીએ એક પડકાર તરીકે લીધી હતી. 

એકલાં તમિલનાડુમાં જ 2500 થી વધુ દલિત પૂજારીઓ સક્રિય છે. વી.એચ.પી. ના 2 આંતરિક વિભાગ,  'પૂજા અર્ચના પુરોહિત વિભાગ' અને 'સામાજિક સંવાદિતા વિભાગ' તાલીમ આપે છે અને તેમને સંપૂર્ણ પરંપરા અને સંસ્કૃતિ સાથે હિન્દુ દેવોની પૂજા કરવાની પદ્ધતિ શીખવે છે. જે બાદ વીએચપી પરીક્ષા લે છે, અને પાસ થનારને પ્રમાણપત્ર આપવામાં આવે છે. વીએચપી અહીં અટક્યુ નથી, તેણે માંગણી કરી કે બધા હિન્દુઓ માટે એક દાખલો બેસાડવા, રામ મંદિરમાં દલિત પુરોહિતની નિમણૂક થવી જોઈએ…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Today’s Horoscope : આજનો દિવસ:૮ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Saturn Transit ચંદ્રગ્રહણ પહેલાં શનિની મોટી ચાલ! આ ૫ રાશિના જાતકોની ખુલી જશે કિસ્મત!
Today’s Horoscope : આજનો દિવસ:૭ ઓગસ્ટ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Guru Uday 2026 ગુરુ ઉદય અને મિથુન રાશિમાં લક્ષ્મી યોગ, આ રાશિના જાતકોને મળશે અપાર ધન અને સફળતા
Exit mobile version