Site icon News Continuous Bureau | Mumbai

Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયાએ શુક્ર બદલશે ચાલ: આ 5 રાશિના જાતકો પર થશે ધન વર્ષા, ભાગ્યમાં લખાયેલું છે અઢળક સુખ-સમૃદ્ધિ.

Akshaya Tritiya 2026: 19 એપ્રિલ 2026ના રોજ અખાત્રીજના શુભ દિને શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે; સંપત્તિ અને વૈભવના કારક ગ્રહની કૃપાથી આ જાતકોનું ભાગ્ય ચમકશે.

Akshaya Tritiya 2026: Venus transition in Taurus to bring financial luck for Aries, Taurus and 3 other zodiacs.

Akshaya Tritiya 2026: Venus transition in Taurus to bring financial luck for Aries, Taurus and 3 other zodiacs.

News Continuous Bureau | Mumbai

Akshaya Tritiya 2026: હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયા (અખાત્રીજ) નો દિવસ અત્યંત શુભ અને વણજોયું મુહૂર્ત માનવામાં આવે છે. વર્ષ 2026 માં અક્ષય તૃતીયા 19 એપ્રિલના રોજ ઉજવવામાં આવશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ વર્ષની અખાત્રીજ ખૂબ જ ખાસ રહેવાની છે કારણ કે આ દિવસે સુખ-સુવિધા અને વૈભવનો કારક ગ્રહ શુક્ર પોતાની સ્વરાશિ વૃષભમાં પ્રવેશ કરશે. શુક્રનું આ ભ્રમણ પાંચ રાશિના જાતકો માટે ધન-સંપત્તિના દ્વાર ખોલનારું સાબિત થશે.શાસ્ત્રોક્ત માન્યતા મુજબ, વૈશાખ સુદ ત્રીજના દિવસે કરેલું કોઈ પણ કાર્ય અક્ષય (જેનો ક્યારેય ક્ષય ન થાય તેવું) ફળ આપે છે. આ દિવસે કરવામાં આવેલી ખરીદી કે રોકાણ લાંબા ગાળે સમૃદ્ધિ લાવે છે.

Join Our WhatsApp Channel

આ 5 રાશિઓ માટે અક્ષય તૃતીયા ભાગ્યશાળી

 

શુક્રના વૃષભ રાશિમાં પ્રવેશથી નીચે મુજબની રાશિઓને વિશેષ લાભ થશે:
મેષ રાશિ: આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળશે. લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થશે અને રોકાણ માટે આ શ્રેષ્ઠ સમય છે.
વૃષભ રાશિ: શુક્ર આ જ રાશિમાં પ્રવેશ કરી રહ્યો હોવાથી સૌથી વધુ લાભ થશે. સંપત્તિમાં વધારો થશે અને માનસિક શાંતિ મળશે.
કન્યા રાશિ: આવકના નવા સ્ત્રોત ઉભા થશે. અવિવાહિતો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે અને પારિવારિક સંબંધો મધુર બનશે.
તુલા રાશિ: મિલકતમાં રોકાણ કરવાના યોગ છે. જોકે, ખર્ચ પર થોડો કાબૂ રાખવો જરૂરી છે, છતાં આર્થિક ઉન્નતિ નક્કી છે.
ધનુ રાશિ: કરિયર અને બિઝનેસમાં પ્રગતિની નવી તકો મળશે. તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે અને આત્મવિશ્વાસમાં વધારો થશે.

આ સમાચાર પણ વાંચો Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.

 અખાત્રીજ પર સોનાની ખરીદીનું મહત્વ

અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવું એ શુકનવંતું માનવામાં આવે છે. જ્યોતિષીઓના મતે, આ દિવસે શુક્ર ગ્રહ બળવાન હોવાથી ઘરેણાં અથવા કિંમતી ધાતુની ખરીદી કરવાથી લક્ષ્મીજીની કૃપા જળવાઈ રહે છે. આ વર્ષે શુક્રનું સંક્રમણ હોવાથી બજારમાં પણ સોના-ચાંદીની ખરીદીમાં તેજી જોવા મળી શકે છે.

નવા કાર્યોની શરૂઆત માટે શ્રેષ્ઠ મુહૂર્ત

જો તમે નવો વ્યવસાય શરૂ કરવા માંગતા હોવ અથવા નવા ઘરમાં પ્રવેશ (ગૃહ પ્રવેશ) કરવા માંગતા હોવ, તો 19 એપ્રિલનો દિવસ સર્વશ્રેષ્ઠ છે. આ દિવસે પંચાંગ જોયા વગર પણ કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે. શુક્રના વૃષભમાં હોવાથી કલા, ફેશન અને લક્ઝરી વસ્તુઓ સાથે જોડાયેલા લોકોને વિશેષ સફળતા મળશે.

Feng Shui Tips। ઘરમાં વારંવાર કોઈ બીમાર પડે છે? ખૂણામાં આ રીતે મીઠું રાખવાથી દૂર થશે બધી આફતો!
Today’s Horoscope : આજનો દિવસ:૩૦ મે ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Yellow Kalawa Benefits। ચમત્કારી છે આ પીળો દોરો! હાથમાં બાંધતા જ ખૂલી જશે કિસ્મતના તાળા, બસ જાણી લો ધારણ કરવાની સાચી રીત
Today’s Horoscope : આજનો દિવસ:૨૯ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version