Site icon

દેવશયની એકાદશી પર બની રહ્યો છે શુભ યોગ, જાણો દિવસ-સમય અને વ્રતનું મહત્ત્વ

સનાતન પરંપરામાં દર મહિને બે એકાદશી આવે છે, પરંતુ અષાઢ મહિનામાં આવતી એકાદશીને દેવશયની એકાદશી કહે છે. તેનું કારણ એ છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુનું શયન શરૂ થાય છે, જે આગામી ચાર મહિના સુધી ચાલુ રહે છે.

Auspicious yoga is happening on Devshayani Ekadashi, know the day-time and importance of fasting

Auspicious yoga is happening on Devshayani Ekadashi, know the day-time and importance of fasting

News Continuous Bureau | Mumbai

સનાતન પરંપરામાં દર મહિને બે એકાદશી(Ekadashi) આવે છે, પરંતુ અષાઢ મહિનામાં આવતી એકાદશીને દેવશયની(Devshayani) એકાદશી કહે છે. તેનું કારણ એ છે કે આ દિવસથી ભગવાન વિષ્ણુનું શયન શરૂ થાય છે, જે આગામી ચાર મહિના સુધી ચાલુ રહે છે. હિંદુ ધર્મ શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે કોઈ એકાદશીનું વ્રત કરે છે તેના તમામ પાપો નાશ પામે છે. સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. તેની સાથે જ મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ભગવાન અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. ઈચ્છાઓની પૂર્તિ સાથે લાભ મળે છે. આ પછી શ્રી હરિ આગામી ચાર મહિના માટે યોગ નિદ્રામાં જાય છે.

Join Our WhatsApp Community

દેવશયની એકાદશી વ્રતની તારીખ અને સમય

પંચાંગ અનુસાર, દેવશયની એકાદશી 29 જૂન, 2023 ના રોજ સવારે 3.18 વાગ્યે શરૂ થશે અને 30 જૂનના રોજ સવારે 2.42 વાગ્યે સમાપ્ત થશે. આ વખતે દેવશયની એકાદશી ગુરુવારે પડવાની છે. આ દિવસ ભગવાન વિષ્ણુ માટે ખાસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં દેવશયની એકાદશીનો સમય ખૂબ જ શુભ છે. 30મી જૂને દેવશયની એકાદશી વ્રત(Fasting) રાખવામાં આવશે. તેનો શુભ સમય બપોરે 01:48 થી 04:36 સુધીનો રહેશે.

દેવશયની એકાદશીનું મહત્ત્વ 

શાસ્ત્રો અનુસાર અષાઢ મહિનામાં આવતી બીજી એકાદશીને દેવશયની એકાદશી માનવામાં આવે છે. આ કારણે ભગવાન વિષ્ણુ આ દિવસથી યોગ નિદ્રામાં જાય છે. આ પછી કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. દેવશયની એકાદશીના ઉપવાસના લાભથી જીવનના દુઃખ અને પાપોનો અંત આવે છે. આ એક મહાન પુણ્ય માનવામાં આવે છે. આ દિવસે વિધિ-વિધાન અનુસાર ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે જપ અને ધ્યાન પણ કરવું જોઈએ. તેનાથી શુભ ફળ મળે છે. 

આ સમાચાર પણ વાંચો: Vande Bharat : ફરી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો, મેરઠ-મુઝફ્ફરનગર રેલવે ટ્રેક પર હુમલો, અરીસા પર નિશાન તાક્યું

Gajkesari Rajyog: 12 વર્ષ બાદ બની રહ્યો છે ગજકેસરી રાજયોગ, ગુરુ-ચંદ્રની કૃપાથી મળશે ભરપૂર લાભ
Mangal Gochar: ભાઈબીજ પછી મંગળ કરશે વૃશ્ચિક રાશિમાં ગોચર, આ 3 રાશિઓ ની ચમકી ઉઠશે કિસ્મત
Budhaditya Rajyog: 17 સપ્ટેમ્બરે ચમકશે ‘આ’ રાશિઓનું નસીબ, 1 વર્ષ બાદ થશે બુધ-સૂર્યની યુતિ
Today’s Horoscope : આજનો દિવસ: ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Exit mobile version