Site icon News Continuous Bureau | Mumbai

અયોધ્યામાં રામલલ્લા ના દર્શને ગયેલા લોકોને અત્યારે એવો પ્રસાદ મળી રહ્યો છે કે જે અમૂલ્ય છે. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શનિવાર

અયોધ્યામાં ભગવાન શ્રીરામના દર્શને જનારા રામ ભક્તો ને અત્યારે અમૂલ્ય ભેટ પ્રસાદ સ્વરૂપે આપવામાં આવી રહી છે. આ અમૂલ્ય ભેટ શ્રીરામ રજકણ છે. એટલે કે શ્રી રામ મંદિરની એ માટી જે પાયો ખોદતી વખતે નીકળી હતી. આ માટીને પવિત્ર માનવામાં આવે છે તેમજ મંદિરનાં ગર્ભગૃહને ખોદતી વખતે અને મંદિરનો પાયો નાખવા માટે જે ખાડા ખોદવામાં આવ્યા હતા તે સમયે જેમાંથી બહાર નીકળી તેની પ્રસાદી બનાવી  દેવામાં આવી છે.

આ માટીને બીજી કોઈ જગ્યાએ ફેંકવામાં નથી આવી પરંતુ એક સુંદર ડબ્બીમાં પેક કરવામાં આવી છે. હવે જે વ્યક્તિ મંદિરમાં દર્શન માટે આવે છે તેને શ્રી રામ મંદિરની રજકણ ભેટરૂપે અપાય છે.

આ રજકણ મેળવવા માટે રીતસરની પડાપડી થઇ રહી છે. રામ ભક્તો માટે આ માટી એક પવિત્ર વસ્તુ સમાન છે. અનેક લોકો આ માટીને પોતાના મંદિરમાં સ્થાન આપી રહ્યા છે. આ માટી પ્રાપ્ત કરીને લોકો પોતાની જાતને ધન્ય સમજે છે.

ભાજપના નેતા નો નિર્ણય ભાજપના નેતાએ જ પલટી નાખ્યો, ઉત્તરાખંડમાં સંખ્યાબંધ મંદિરો પંડિતોના હાથમાં ગયા.

Numerology Number 7: રાતોરાત બદલાઈ શકે છે કિસ્મત! મૂલાંક 7 ના જાતકો માટે કુબેર દેવ ખોલે છે પ્રગતિના દ્વાર, જાણો તમારી ખાસિયત.
Shukra Nakshatra Parivartan 2026: શુક્ર નક્ષત્ર પરિવર્તન 2026: 16 એપ્રિલથી આ રાશિઓની લાગશે લોટરી! શુક્ર કૃપાથી ચારેબાજુથી થશે ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ એપ્રિલ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Prediction: મૂલાંક 6 ના જાતકો કેમ હોય છે ‘છુપા રુસ્તમ’? સફળતા મેળવવાની તેમની આ ખાસ સ્ટાઈલ તમને પણ ચોંકાવી દેશે’
Exit mobile version