બિરલા મંદિર એ એક હિન્દુ મંદિર છે, જે 13 એકરના પ્લોટ પર નૌબાથ પહાડ નામની 280 ફૂટ ઉંચી ટેકરી પર બાંધવામાં આવ્યું છે. તે હૈદરાબાદમાં આવેલું છે. મંદિર ના પ્રમુખ દેવતા ભગવાન વેંકટેશ્વર છે, જેમની 11 ફૂટ ઊંચી ગ્રેનાઇટ મૂર્તિ છે. આ મંદિર શુદ્ધ સફેદ આરસથી બાંધવામાં આવ્યું છે. મંદિરનું વાતાવરણ ધ્યાન માટે અનુકૂળ છે. આ મંદિર બિરલા ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવ્યું હતું, જેણે ભારતભરમાં ઘણા સમાન મંદિરો પણ બનાવ્યા છે, તે બધા બિરલા મંદિર તરીકે ઓળખાય છે.
બિરલા મંદિર.
