Site icon News Continuous Bureau | Mumbai

ધનતેરસ ના શુભ મુહૂર્ત વિશે માહિતી અને પૂજા વિધિ

ધનતેરસ તિથી- 13 નવેમ્બર 2020

13 નવેમ્બરના રોજ ધનતેરસ પર ખરીદી માટે પહેલું મુહૂર્ત સવારે 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા સુધી છે. જ્યારે બીજુ શુભ મુહૂર્ત બપોરે 1 થી 2:30 સુધી રહેશે. 

Join Our WhatsApp Channel

ધનતેરસ પૂજાનું શુભ મુહૂર્ત- સાંજે 5:28 વાગ્યાથી સાંજે 5:59 વાગ્યા સુધી

 

પ્રદોષ કાળ મુહૂર્ત- સાંજે 5:28 વાગ્યાથી રાતે 8:07 વાગ્યા સુધી – 13 નવેમ્બર 2020
વૃષભ કાળ મુહૂર્ત- સાંજે 5:32 વાગ્યાથી સાંજે 7:28 વાગ્યા સુધી- 13 નવેમ્બર 2020

ધનતેરસની પૂજાવિધિ

આ દિવસે પ્રભુ શ્રી ગણેશ, માતા લક્ષ્મી, ભગવાન ધનવંતરિ, અને કુબેરની પૂજા થાય છે. સાંજના સમયે પ્રદોષકાળમાં પૂજા કરવી શુભ મનાય છે. જાણો પૂજા વિધિ.

1. પૂજા કરતા પહેલા સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો. 
2. ત્યારબાદ એક સ્વચ્છ ચોકી પર ગંગાજળ છાંટીને તેના પર પીળા કે લાલ રંગનું કપડું બીછાવો.
3. આ કપડાં પર પ્રભુ શ્રી ગણેશ, માતા લક્ષ્મી, માટીના હાથી, ભગવાન ધનવંતરિ, અને ભગવાન કુબેરજીની મૂર્તિઓ સ્થાપિત કરો. 
4. સર્વપ્રથમ ગણેશજીનું પૂજન કરો, તેમને પૂષ્પ અને દુર્વા અર્પણ કરો. 
5. ત્યારબાદ હાથમાં અક્ષત લઈને ભગવાન ધનવંતરિનું મનન કરો. 
6. હવે ભગવાન ધનવંતરિને પંચામૃતથી સ્નાન કરાવીને, રોલી ચંદનથી તિલક કરી તેમને પીળા રંગના ફૂલ સમર્પિત કરો.
7. ફૂલ અર્પણ કર્યા બાદ ફળ અને નૈવેદ્ય અર્પણ કરીને તેના પર અત્તર છાંટી ભગવાન ધનવંતરિના મંત્રોનો જાપ રકીને તેમની આગળ તેલનો દીપ પ્રજવલ્લિત કરો. 
8. ત્યારબાદ ધનતેરસની કથા વાંચો અને આરતી કરો. 
9. હવે ભગવાન ધનવંતરિને પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવીને માતા લક્ષ્મી અને કુબેરજીની પૂજા કરો. 
10. પૂજા સમાપ્ત થયા બાદ ઘરના મુખ્ય દ્વાર પર બંને બાજુ તેલનો દીવો પ્રગટાવો. 

Most Attractive Zodiac Signs પ્રેમ મામલે લકી અને દેખાવમાં કિલર! આ ૩ રાશિના લોકોની પર્સનાલિટી પાછળ દુનિયા થાય છે પાગલ
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ જૂન ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Remedies for Mangal Dosha મંગળદોષને કારણે લગ્નમાં વિલંબ? આ ૫ અચૂક ઉપાયોથી દૂર થશે વિવાહના અવરોધો
Planetary Transit Update ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર, સૂર્ય અને નેપ્ચ્યુન વચ્ચે બનશે ‘કેન્દ્ર યોગ’, જાણો તમારી રાશિ પર અસર
Exit mobile version