Site icon

વાસ્તુ ટિપ્સ- ભૂલ માં પણ ઘરની બહાર આ વસ્તુઓને ના રાખશો-બનશે ગરીબીનું કારણ

News Continuous Bureau | Mumbai

વાસ્તુશાસ્ત્ર અનુસાર જો વાસ્તુ દોષ ન હોય તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો(positive vibes) વાસ રહે છે. પરંતુ જો વાસ્તુમાં કોઈ ગરબડ હોય તો પરેશાનીઓ, પ્રગતિમાં અવરોધો અને ઘરમાં સતત સમસ્યાઓ રહે છે. વાસ્તુ અનુસાર દરેક દિશાને કોઈને કોઈ દેવી-દેવતાનો વાસ માનવામાં આવે છે. જેના કારણે ઘરની બહારની વસ્તુઓ પર પણ અસર પડે છે. જાણો ઘરની બહાર કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ-

Join Our WhatsApp Community

– રસ્તો ઉંચો હોવો- વાસ્તુ અનુસાર ઘરનો મુખ્ય દરવાજો(main gate) હંમેશા સામેના રસ્તાથી ઊંચો હોવો જોઈએ. જે લોકોનું ઘર સામેના રસ્તાથી નીચું છે, ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ હોય છે. આવા ઘરના સભ્યોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

– કચરો- વાસ્તુ અનુસાર જે ઘરની સ્વચ્છતા અને વસ્તુઓ રાખવાની દિશા યોગ્ય હોય છે, ત્યાં મા લક્ષ્મીનો વાસ હોય છે. ઘણા લોકો તેમના ઘરની સામે કચરો(garbage) ભેગો કરે છે. ઘરના મુખ્ય પ્રવેશદ્વારની સામે કચરો જમા થવાથી ગરીબી આવે છે. આવા ઘરોમાં કષ્ટ, રોગ અને ધનહાનિ થવાની સંભાવના રહે છે.

– ઈલેક્ટ્રિક થાંભલો- વાસ્તુ અનુસાર ઘરની બરાબર સામે ઈલેક્ટ્રિક નો થાંભલો(electric pole) ન હોવો જોઈએ. ઘરની સામે ઈલેક્ટ્રીક થાંભલો હોવાને કારણે ઘરના સભ્યો વચ્ચે અણબનાવ થવાની માન્યતા છે.

– કાંટાવાળા છોડ- વાસ્તુ અનુસાર ઘરના મુખ્ય દ્વારની સામે ક્યારેય કાંટાવાળા છોડ(plants) ન લગાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ નથી આવતી.

– પથ્થર- વાસ્તુ અનુસાર ઘણી વખત લોકો પોતાના ઘરની સામે મોટી મોટી ઈંટો અને પથ્થરો એકઠા કરે છે. એવું માનવામાં આવે છે કે ઘરની સામે મોટી ઈંટો અને પત્થરોથી(stone) જીવનમાં મુશ્કેલીઓ આવે છે.

– ગંદુ પાણીઃ- વાસ્તુશાસ્ત્ર અનુસાર જે ઘરની સામે ગંદુ પાણી (water)એકઠું થાય છે, ત્યાં મા લક્ષ્મીનો વાસ નથી. ઘરની સામે ગંદુ પાણી જમા થવાને કારણે પ્રગતિમાં અવરોધોનો સામનો કરવો પડે છે.

 આ સમાચાર પણ વાંચો : આ રાશિના જાતકોના જીવનમાં મંગલદેવ લાવશે મોટા ફેરફારો- 16 ઓક્ટોબર સુધી જાગશે સુતેલાના ભાગ્ય

નોંધ – અમે એવો દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. તેમને અપનાવતા પહેલા, સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી શરૂ થતા પહેલા ખરીદો આ પવિત્ર વસ્તુઓ, ઘરમાં આવશે ખુશીઓ અને સમૃદ્ધિ
Dhan Shakti Yog: દિવાળી પછી ‘આ’ રાશિઓ પર થશે પૈસાનો વરસાદ; ધન દાતા શુક્ર બનાવશે ધન શક્તિ યોગ
Shani Gochar 2025: 3 ઓક્ટોબરથી ‘આ’ રાશિઓના ઘરમાં આવશે પૈસા; 27 વર્ષ પછી શનિ કરશે ગુરુના નક્ષત્રમાં પ્રવેશ
Indira Ekadashi 2025: 17 સપ્ટેમ્બર બુધવારના રોજ મનાવવામાં આવશે ઇંદિરા એકાદશી એકાદશી, જાણો શું છે તેનું મહત્વ
Exit mobile version