Site icon

શું તમે પણ તમારા ઘરમાં ક્યાંક આમલી સહિત આ વૃક્ષો અને છોડ તો નથી લગાવ્યા ને-જો હોય તો તેને તાત્કાલિક દૂર કરો નહીં તો આવી શકે છે પૈસાની તંગી

News Continuous Bureau | Mumbai

સામાન્ય રીતે લોકો ઘરની સુંદરતા અને હરિયાળી માટે વૃક્ષો અને છોડ (tress)લગાવે છે. પરંતુ વાસ્તુ અનુસાર તેને ઘર અને આંગણામાં મૂકવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુમાં અનેક શુભ અને અશુભ વૃક્ષો અને છોડ જણાવવામાં આવ્યા છે, જેને અનુસરીને તમે તમારા ઘર અને પરિવારમાં ખુશીઓ લાવી શકો છો. આજે અમે તમને જણાવીશું કે ઘરમાં કયો છોડ લગાવવાથી તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો જાણીએ કે ઘરમાં કયા છોડ લગાવવાની સખત મનાઈ છે.

Join Our WhatsApp Community

1. આમલી

વાસ્તવમાં આમલીને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ છોડને ઘરમાં ન લગાવવો જોઈએ. હા, વાસ્તુ અનુસાર આ વૃક્ષને ઘરમાં લગાવવાથી ભય અને નકારાત્મકતાનું (negative vibes)વાતાવરણ બની શકે છે.

2. બાવળનું ઝાડ

વાસ્તુ અનુસાર ઘરમાં બાવળનું ઝાડ લગાવવાથી નકારાત્મકતા ફેલાય છે અને આર્થિક સંકટ (financial crises)પણ આવી શકે છે. તેમજ આ કાંટાવાળા છોડને ઘરમાં લગાવવાથી લોકો માનસિક તણાવનો શિકાર પણ બની શકે છે.

3. મહેંદી

આ રીતે, મહેંદી તીજ તહેવાર, ઉજવણી અને પૂજામાં ઉપયોગી છે. પરંતુ વાસ્તુ કહે છે કે આ છોડ ઘરની અંદર ન લગાવવા જોઈએ. માન્યતાઓ અનુસાર, મહેંદીના છોડની પાસે નકારાત્મક ઉર્જા(negative vibes) હોય છે, જેના કારણે તેના લગાવવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે.

4. કપાસ

આમ તો કપાસ ના છોડમાંથી કપડાં બનાવવામાં આવે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર(jyotish shastra) અનુસાર તેને ઘરમાં લગાવવાથી દુર્ભાગ્ય અને દરિદ્રતા આવે છે. પરિવારના સભ્યોમાં ગેરસમજ ઊભી થાય અને નકારાત્મક વાતાવરણ રહે. 

5. બોનસાઈ છોડ

બોનસાઈ નો અર્થ જાપાનિઝમાં "વામન છોડ" એટલે કે નાનો છોડ થાય છે. બોનસાઇ દેખાવ માં ખુબ જ સુંદર હોય છે.જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને ઘરમાં ન લગાવવું જોઈએ કારણ કે જ્યોતિષ શાસ્ત્ર દરેક વસ્તુને ખોટું માને છે જેને વધવાથી અટકાવવામાં આવે છે. કહેવાય છે કે ઘરમાં બોનસાઇના( bonsai ) છોડ લગાવવાથી ઘરની પ્રગતિ અટકી જાય છે. તેની સાથે બાળકોના ભણતર પર પણ તેની અસર પડે છે.

આ સમાચાર પણ વાંચો : જો તમે પણ જીવન માં સતત સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો ઘરમાં અવશ્ય રાખો આ પશુ ની મૂર્તિ -સંપત્તિમાં થશે વધારો-મુશ્કેલીઓ થશે દૂર

Rahu-Ketu: રાહુ-કેતુની બદલાયેલી ચાલ કુંભ અને અન્ય ૩ રાશિઓ માટે લાવશે સકારાત્મક પરિવર્તન.
Today’s Horoscope : આજનો દિવસ:૨૨ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Rahu Nakshatra Transformation: રાહુની મોટી ચાલ: ડિસેમ્બર ૨૦૨૫ થી શરૂ થશે રાહુનું ગોચર! કઈ ૪ રાશિઓનું ભાગ્ય ચમકશે, જાણો.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version