Site icon News Continuous Bureau | Mumbai

રામ મંદિરના નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવાનું કામ શરૂ : કેન્દ્રએ શુકનનો 1 રૂપિયો અને મોરારીબાપુએ આપ્યું રૂ. 11 કરોડનું દાન..  

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,

મુંબઈ

Join Our WhatsApp Channel

15 જાન્યુઆરી 2021 

અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભંડોળ એકત્ર કરવાની ઝુંબેશ શુક્રવારથી શરૂ થઈ હતી. પ્રથમ, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મંદિર માટે ભંડોળ પૂરું પાડ્યું. તેમણે મંદિર બનાવવા માટે પાંચ લાખ એકસો રૂપિયા દાનમાં આપ્યા હતા. અન્ય દાતાઓને ભંડોળ ઉભું કરવા 1000 રૂપિયા, 100 અને 10 રૂપિયાના કુપન્સ આપવામાં આવશે, જેથી ગરીબમાં ગરીબ લોકો પણ મંદિરના નિર્માણમાં પોતાનો ફાળો આપી શકે. 

કેન્દ્ર સરકારે રામ મંદિર માટે એક રૂપિયાનું દાન આપ્યું છે. શિવસેનાએ 1 કરોડનું દાન આપ્યું હતું. આ ઉપરાંત યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 11 લાખ રૂપિયા આપ્યા છે. 11 કરોડનું સૌથી વધુ દાન કથાકાર મોરારી બાપુ તરફથી આવ્યું છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે રામ મંદિર નિર્માણ માટે 1 લાખ રૂપિયાનો ચેક આપ્યો છે. 

 

આજના અવસરે મંદિર સમિતિના સભ્યોને પૂછવામાં આવ્યું કે શું મંદિરનું નિર્માણ વિધિવત રીતે શરૂ થયું છે? અને જો નહીં, તો તે ક્યારે શરૂ થશે? તેમજ મંદિરના નિર્માણ માટે કેટલા પૈસા ખર્ચવાની સંભાવના છે? જેના જવાબમાં તેમણે કહ્યું કે "અંદાજિત" વિસ્તારની અંદર મુખ્ય મંદિરના નિર્માણ માટે 300 થી 400 કરોડ રૂપિયા ખર્ચ થવાની સંભાવના છે. આખા મંદિરમાં રૂ .1,100 કરોડથી વધુ ખર્ચ થવાની સંભાવના છે.

 

Mercury Retrograde 2026 29 જૂનથી બુધ ગ્રહની વક્રી ચાલ જાણો તમારી રાશિ પર શું થશે અસર અને શું રાખવી સાવધાની
Most Attractive Zodiac Signs પ્રેમ મામલે લકી અને દેખાવમાં કિલર! આ ૩ રાશિના લોકોની પર્સનાલિટી પાછળ દુનિયા થાય છે પાગલ
Today’s Horoscope : આજનો દિવસ:૨૪ જૂન ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Remedies for Mangal Dosha મંગળદોષને કારણે લગ્નમાં વિલંબ? આ ૫ અચૂક ઉપાયોથી દૂર થશે વિવાહના અવરોધો
Exit mobile version