Site icon

જો તમારામાં આત્મવિશ્વાસ ની કમી હોય તો વાસ્તુના આ ઉપાયોથી કરો તેને દૂર- તમને દરેક કામમાં મળશે સફળતા

News Continuous Bureau | Mumbai

તમે ઘણી વાર આવા લોકોને જોયા હશે, જેમને દરેક વિષયની જાણકારી હોય છે. તે અભ્યાસમાં પણ ખૂબ જ ઝડપી છે. આ હોવા છતાં તેઓ નિષ્ફળ પણ જાય છે. તેનું સૌથી મોટું કારણ આત્મવિશ્વાસનો (confidence)અભાવ છે. ઘણી વખત જ્ઞાન હોવા છતાં આત્મવિશ્વાસના અભાવે લોકો પાછળ રહી જાય છે. જે લોકોમાં આત્મવિશ્વાસની કમી હોય છે, તેઓ કોઈપણ કામમાં ધ્યાન આપી શકતા નથી અને તેમને સફળતા મેળવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેટલીકવાર વાસ્તુ દોષના(vastu dosh) કારણે આત્મવિશ્વાસની કમી આવી જાય છે, તેથી સફળતા મેળવવા માટે તમારે તમારા ઘરની વાસ્તુ પર પણ ધ્યાન આપવું જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં આત્મવિશ્વાસ વધારવા માટે કેટલાક ઉપાય જણાવવામાં આવ્યા છે, જેને અપનાવવાથી જીવનમાં સફળતા મેળવી શકાય છે. આવો જાણીએ આત્મવિશ્વાસ વધારવાની વાસ્તુની રીતો…

Join Our WhatsApp Community

1. વાસ્તુશાસ્ત્ર અનુસાર લિવિંગ રૂમમાં ઉગતા સૂર્ય અથવા દોડતા ઘોડાની તસવીર લગાવો. તેનાથી આત્મવિશ્વાસ (confidence)વધશે અને કાર્યમાં સફળતા મળશે.

2. આત્મવિશ્વાસ વધારવા માટે ઘરમાં ઓછામાં ઓછી બે ગોલ્ડફિશ (goldfish)ધરાવતું એક્વેરિયમ રાખો. ઉપરાંત, તેમને નિયમિતપણે ખવડાવો. વાસ્તુ અનુસાર આવું કરવાથી તમારો આત્મવિશ્વાસ ઘણી હદ સુધી વધશે.

3. વાસ્તુશાસ્ત્ર અનુસાર શનિ યંત્રને (Shaniyantra)ઘરમાં રાખો. શનિ યંત્રની સ્થાપના કરવાથી ન માત્ર શનિના અશુભ પ્રભાવોથી છુટકારો મળે છે, પરંતુ તેને ઘરના ખૂણામાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર પણ થાય છે.

4. સૂર્યની ઉપાસના સૌથી પુણ્યદાયક ફળદાયી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં દરરોજ સવારે ભગવાન સૂર્યને જળ (Surya )અર્પિત કરો. જ્યોતિષ શાસ્ત્ર પણ માને છે કે જળ ચઢાવવાથી આત્મવિશ્વાસ વધે છે.

5. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની બારીઓ હંમેશા ખુલ્લી (window open)રાખો. આમ કરવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેમજ બારી સામે ક્યારેય તમારી પીઠ રાખી ને બેસો નહીં. એવું માનવામાં આવે છે કે આનાથી ઉર્જા દૂર થાય છે અને આત્મવિશ્વાસ ઓછો થાય છે.

6. રોજ સવારે ગાયત્રી મંત્રનો (Gayatri mantra)જાપ કરો. નિયમિત જાપ મનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આત્મવિશ્વાસ વધે છે. તેમજ આ મંત્ર બુદ્ધિને તેજ બનાવે છે.

7. ઘર ના આંગણા માં કે છત પર પક્ષીઓને ખાવા માટે નિયમિત ચારો નાખો તેમજ તેમને પીવા માટે પાણી(water) રાખો. 

આ સમાચાર પણ વાંચો : શરીર પર નો કયો તલ છે શુભ અને કયો છે અશુભ-જાણો તલ કેવી રીતે ચમકાવી શકે છે તમારું ભાગ્ય

Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Uppana Ekadashi: ઉત્પન્ના એકાદશી પર કરો આ મહાદાન! ભગવાન વિષ્ણુની કૃપાથી થશે ધન-સમૃદ્ધિમાં વધારો, જાણો શું છે શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version