Site icon

ભાવિકો માટે ખુશખબર: આજથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ આરતી-દર્શનનો લ્હાવો લઈ શકશે, જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 15 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Community

બુધવાર

કોરોના મહામારીને કારણે વખતો-વખતની સરકારની ગાઇડલાઈન મુજબ સોમનાથ મંદિરમાં દર્શનની વ્યવસ્થા અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

આજથી સોમનાથ મુખ્ય મંદિરમાં દર્શનનો સમય સવારે 06:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધીનો રહેશે.

હાલની ઘટતી જતી કોરોના મહામારીને ધ્યાનમાં રાખી સરકારની ગાઈડ લાઈનની ચુસ્ત અમલવારી સાથે આજથી સોમનાથ મંદિરમાં આરતી-દર્શન માટે શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવાનો નિર્ણય સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

આ સાથે જ સોમનાથ મુખ્ય મંદિર તથા અહલ્યાબાઈ મંદિર, ભાલક્ મંદિર, શ્રીરામ મંદિર, ગીતા મંદિર, લક્ષ્‍મીનારાયણ મંદિર, ભીડીયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે. 

જોકે ચાલુ આરતીએ કોઇપણ યાત્રિક આરતીમાં તેમજ સભામંડપ કે નૃત્યમંડપમાં પણ ઉભા રહી શકશે નહીં.

દર્શન માટેના પાસ ઓનલાઇન તેમજ ઓફલાaઇન મેળવીને જ દર્શન માટે જવાનું રહેશે. 

આઇ.આઇ.ટી. પાસ કર્યા પછી બન્યા નેતા : જાણો એવા પાંચ સફળ નેતા વિશે જેમણે પોતાની તકદીર પોતે બનાવી

Today’s Horoscope : આજનો દિવસ:૧૪ જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Hanuman Chalisa Path Muhurat: હનુમાન ચાલીસાના પાઠ માટે આ 3 મુહૂર્ત છે સૌથી શક્તિશાળી: દરેક અવરોધો થશે દૂર અને મળશે અદભૂત સફળતા, જાણો સાચી રીત.
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ કે 15 જાન્યુઆરીએ? વર્ષ 2026 માં ઉત્તરાયણ અને ષટતિલા એકાદશીનો અદભૂત સંયોગ, જાણો દાન અને ખીચડીનું મહત્વ.
Today’s Horoscope : આજનો દિવસ:૧૩ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version