Site icon

Grahan in Pitru Paksha:પિતૃ પક્ષમાં ચંદ્ર-સૂર્ય ગ્રહણનો અનોખો સંયોગ: આ 4 રાશિઓ નું ચમકશે ભાગ્ય

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, 7 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ અને 21 સપ્ટેમ્બરે સૂર્યગ્રહણ થશે, જેનો દુર્લભ યોગ કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ સાબિત થશે.

પિતૃ પક્ષમાં ચંદ્ર-સૂર્ય ગ્રહણનો અનોખો સંયોગ આ 4 રાશિઓ નું ચમકશે ભાગ્ય

પિતૃ પક્ષમાં ચંદ્ર-સૂર્ય ગ્રહણનો અનોખો સંયોગ આ 4 રાશિઓ નું ચમકશે ભાગ્ય

News Continuous Bureau | Mumbai  
પિતૃ પક્ષ એ આપણા પૂર્વજોને યાદ કરીને તેમના આત્માની શાંતિ માટે તર્પણ કરવાનો સમય છે. આ વર્ષનો પિતૃ પક્ષ 7 સપ્ટેમ્બરથી શરૂ થઈને 21 સપ્ટેમ્બરે સમાપ્ત થશે. ખાસ વાત એ છે કે, આ વખતે પિતૃ પક્ષની શરૂઆત અને અંતમાં બે મહત્વના ગ્રહણ થશે. 7 સપ્ટેમ્બરે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ અને 21 સપ્ટેમ્બરે સૂર્યગ્રહણ થશે. આ દુર્લભ સંયોગ 4 રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જેમાં કારકિર્દીથી લઈને આર્થિક સ્થિતિ સુધી મોટા ફેરફારો જોવા મળશે.

ગ્રહણના શુભ પ્રભાવથી આ 4 રાશિઓને થશે લાભ

આ ગ્રહણનો શુભ પ્રભાવ નીચે જણાવેલ 4 રાશિઓ પર પડશે, જેના કારણે તેમને સકારાત્મક પરિણામો મળશે:
મેષ રાશિ: આ રાશિના જાતકોને વ્યવસાયમાં સારો નફો મળવાની શક્યતા છે. મુસાફરી કરવાની તકો મળશે, જે ફાયદાકારક સાબિત થશે. પૈસા કમાવવાના નવા રસ્તાઓ ખુલશે અને બચત કરવામાં પણ સફળતા મળશે. લેખન કે પ્રકાશન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ થશે. ભાઈ-બહેન તરફથી પણ પૂરો સહયોગ મળશે.
તુલા રાશિ: તુલા રાશિના લોકોને અપેક્ષા કરતાં પણ સારા પરિણામો મળી શકે છે. કાર્યક્ષેત્રમાં મનપસંદ કામ કરવાની તક મળશે. સરકારી નોકરી કરતા લોકોને ટ્રાન્સફર જેવી ઈચ્છિત બદલી મળવાની શક્યતા છે. આ સમય તેમના માટે અનુકૂળ રહેશે અને સફળતાના નવા માર્ગો ખુલશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : BEST Election Result: BEST ચૂંટણી પરિણામ: શું ખરેખર ઉદ્ધવ ઠાકરેને નડ્યો તેનો અતિઆત્મવિશ્વાસ? જાણો રાજકીય નિષ્ણાતો નું શું કહેવું છે

ધન અને પરિવારમાં આવશે સુખ અને સમૃદ્ધિ

ગ્રહણનો આ શુભ પ્રભાવ ધન અને પારિવારિક જીવનમાં પણ સકારાત્મક બદલાવ લાવશે:
ધનુ રાશિ: આ રાશિના લોકો માટે સુખના દરવાજા ખુલશે. ઓછી મહેનત માં વધુ સફળતા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. સગાં-સંબંધીઓ અને સહકર્મીઓનો પૂરો સહકાર મળશે.

કારકિર્દી અને વ્યવસાયમાં મોટી પ્રગતિ

આ ગ્રહણનો યોગ કારકિર્દી અને વ્યવસાય માટે પણ અત્યંત શુભ છે:
મીન રાશિ: આ રાશિના લોકોને નોકરીમાં નવી અને સારી તકો મળશે. જો તમે નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હો, તો આ યોગ્ય સમય છે. જૂના સંપર્કોથી મોટો ફાયદો થઈ શકે છે અને અટકેલા પૈસા પણ પાછા મળવાની શક્યતા છે. આ સમયગાળામાં ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાનો પણ યોગ બનશે અને તમારું મન પ્રસન્ન રહેશે.

 

Lakshmi Narayan Rajyog 2026: 46 મહિનાની લાંબી પ્રતીક્ષાનો અંત! મકર રાશિમાં રચાશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’, આ 4 રાશિઓ પર થશે અઢળક ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Makar Sankranti 2026: મકર સંક્રાંતિ પર ભૂલથી પણ ન કરતા આ કામ: સૂર્ય દેવ થઈ શકે છે નારાજ, જાણો 14 જાન્યુઆરીએ કઈ બાબતોનું રાખશો ધ્યાન
Makar Sankranti 2026: મકર સંક્રાંતિથી આ રાશિના જાતકોના શરૂ થશે સારા દિવસો: સૂર્યદેવની કૃપાથી થશે ધનવર્ષા, ભાગ્યનો મળશે ભરપૂર સાથ
Exit mobile version