Site icon News Continuous Bureau | Mumbai

વાસ્તુ ટિપ્સ- ઘરમાં પીપળનું ઝાડ ઉગાડવું છે અશુભ-રૂઠી જાય છે ભાગ્યની રેખાઓ-જાણો ક્યાં આ ઝાડ ઉગાડવું છે શુભ

News Continuous Bureau | Mumbai

પીપળના વૃક્ષને હિન્દુ ધર્મમાં ખૂબ જ પૂજનીય માનવામાં આવે છે. તેને શ્રેષ્ઠ વૃક્ષ માનવામાં આવે છે, ધાર્મિક માન્યતાઓ અનુસાર પીપળના વૃક્ષમાં દેવી લક્ષ્મીનો (devi laxmi)વાસ હોય છે. પીપળના વૃક્ષની પૂજા કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ધન અને સમૃદ્ધિ આપે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ પીપળના ઝાડને ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ ઘરમાં પીપળનું ઝાડ અથવા છોડ ઉગાડવો અશુભ છે. જો આ વૃક્ષ ઘરના ખૂણામાં ઉગતું હોય તો તેનો અર્થ છે કે ઘર વાસ્તુ દોષના(vastu dosh) પ્રભાવમાં છે. જો તમારા ઘરમાં પણ આ વૃક્ષ ઉગતું હોય તો જ્યોતિષમાં તેના માટે ઉપાયો જણાવવામાં આવ્યા છે.

Join Our WhatsApp Community

હિંદુ ધર્મમાં પીપળનું વૃક્ષ ખૂબ પૂજનીય છે. પરંતુ જો આ વૃક્ષ પાર્ક, મંદિર કે રસ્તાની બાજુમાં ઉગે તો જ સારું  અને શુભ(lucky) છે. જો પીપળનો છોડ ઘરની અંદર અથવા ઘરના ખૂણામાં ઉગે છે, તો તેનો અર્થ એ છે કે તમારા પર મોટી આર્થિક આફત આવવાની છે. પીપળના ઝાડને નષ્ટ કરવું પણ અશુભ માનવામાં આવે છે, તેથી તમારે તે વૃક્ષની રક્ષા કરવી જોઈએ. તેને માટીની સાથે ખોદીને તેને એવી જગ્યાએ વાવો જ્યાં તે ઉગી શકે.

આ સમાચાર પણ વાંચો :  વાસ્તુ ટિપ્સ- જો પતિ-પત્ની એક જ થાળીમાં ખાય તો બરબાદ થઈ શકે છે ઘર-જાણો શું કહે છે શાસ્ત્રો

વાસ્તુશાસ્ત્રમાં પીપળના વૃક્ષની પૂજા કરવાના ઘણા ફાયદા છે. શનિવારે પીપળના વૃક્ષની પૂજા કરવાથી શનિદેવ (shani dev)પ્રસન્ન થાય છે અને શનિ દોષ દૂર થાય છે. સાથે જ વ્યક્તિના બધા દુ:ખોમાંથી મુક્તિ મળે છે.

Numerology Prediction: મૂલાંક 6 ના જાતકો કેમ હોય છે ‘છુપા રુસ્તમ’? સફળતા મેળવવાની તેમની આ ખાસ સ્ટાઈલ તમને પણ ચોંકાવી દેશે’
Sun Transit in Aries 2026: સૂર્ય ગોચર ૨૦૨૬: એક મહિનો આ રાશિઓ માટે ભારે? જાણો કોનું નસીબ ખુલશે અને કોણે ડગલે ને પગલે રહેવું પડશે સાવધાન
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Numerology Number 5:વાતચીતમાં માહિર અને મિલનસાર, છતાં પ્રોફેશનલ લાઈફમાં કેમ ખાય છે થાપ? જાણો તમારી સબળ અને નબળી બાજુ.
Exit mobile version