દર વર્ષની જેમ આ વર્ષે પણ અઢાષી બીજના દિવસે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળશે.
ગુજરાત સરકારે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ભગવાન જગન્નાથજીની રથયાત્રાને શરતી મંજૂરી આપવામાં આવી છે.
રથયાત્રાના રૂટ ઉપર કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. તેમજ રથયાત્રામાં માત્ર પાંચ વાહનો સામેલ થઈ શકશે.
રથયાત્રા દરમિયાન પ્રસાદનું વિતરણ કરવામાં આવશે નહીં.
આ ઉપરાંત ખલાસીઓ રથયાત્રા ભગવાન જગન્નાથજીના રથ ખેચતા હોય છે તેમણે પણ 48 કલાક પહેલા આરટીપીસીઆર નેગેટિવ અને વેક્સીનનો પ્રથમ ડોઝ લીધેલો હોવો જોઇએ.
જોકે, જગન્નાથજીની રથયાત્રાનું દૂરદર્શન કે ટીવી ચેનલ પર લાઇવ કરવામાં આવશે.
મોદીની નવી કૅબિનેટમાં મહિલા સશક્તીકરણ : આ ૧૧ મહિલા નેતાઓને મળી આ મહત્ત્વની જવાબદારી, જાણો વિગત
