Site icon

29 જુલાઇથી ગુરૂ થશે વક્રી- આ રાશિઓના ખુલશે ભાગ્ય- મળશે કાર્ય માં સફળતા

News Continuous Bureau | Mumbai

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહ નક્ષત્રો સમયાંતરે પોતાની રાશિ બદલતા રહે છે. ગ્રહોના રાશિ પરિવર્તનની અસર માનવ જીવન પર પડે છે. ગુરૂને જ્ઞાન, શિક્ષણ અને ભાગ્યમાં વૃદ્ધી કરનારો ગ્રહ માનવામાં આવે છે. દેવગુરૂ બૃહસ્પતિના  વક્રી થતાં જ  બધી રાશિઓના જીવન પર પ્રભાવ પડશે.29 જુલાઈના રોજ મુખ્ય ગ્રહ દેવગુરુ બૃહસ્પતિ પોતાની રાશિ બદલીને મીન રાશિમાં પાછા ફરવા જઈ રહ્યા છે. ગુરુ 24 નવેમ્બર સુધી આ સ્થિતિમાં રહેશે. આ રીતે, મીન રાશિમાં ગુરૂનું પશ્ચાદવર્તી તમામ રાશિઓ માટે ફાયદાકારક સાબિત થવાનું છે. પરંતુ કેટલીક એવી રાશિઓ છે જેના પર 29 જુલાઈથી ગુરુ ગ્રહની વિશેષ કૃપા પ્રાપ્ત થશે. આ સમયગાળા દરમિયાન તેમને દરેક કાર્યમાં સફળતા મળશે. આવો જાણીએ તે કઈ કઈ રાશિઓ છે.

Join Our WhatsApp Community

1. મકર- મકર રાશિના લોકો માટે આ સમય અનુકૂળ રહેશે. આ રાશિના જાતકો ને ભાગ્યનો પૂરો સાથ મળશે. નોકરીમાં પ્રગતિ થશે. કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. કમાણીનાં અન્ય માધ્યમો પણ ઉપલબ્ધ થશે. અચાનક ધનલાભ થવાની સંભાવના છે.

2. કર્ક- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દેવગુરુ બૃહસ્પતિ કર્ક રાશિના નવમા ભાવમાં વક્રી થશે. આવી સ્થિતિમાં કર્ક રાશિના જાતકો ને ભાગ્યનો પૂરો લાભ મળશે. તેમને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. જે લોકો નોકરી શોધી રહ્યા છે. તેમને નોકરી મળવાના પ્રબળ ચાન્સ છે. નવી નોકરીની ઓફર પણ મળશે. વેપારમાં તમને સારો નફો મળશે. અટકેલા કાર્યોમાં પ્રગતિ થશે. નવા વેપાર અને રોકાણ માટે સમય સાનુકૂળ છે.

3. વૃશ્ચિક- વૃશ્ચિક રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન નોકરીમાં પ્રગતિની સાથે આવકમાં પણ વધારો થઈ શકે છે. વેપારમાં સારો નફો મળવાના ચાન્સ છે. તમને રોકાણનો લાભ મળશે. વિવાહિત જીવન સારું રહેશે.

4. સિંહ- આ રાશિના જાતકો માટે ગુરુ શુભ સમય લઈને આવ્યા છે. આ દરમિયાન તેમને અચાનક ધનનો લાભ મળી શકે છે. વેપારીઓ માટે આ સમય વધુ લાભદાયી રહેવાનો છે. સિંહ રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવશે. પ્રવાસનો યોગ બન્યો છે જે લાભદાયક રહેશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે સમય સાનુકૂળ રહેશે.

આ સમાચાર પણ વાંચો : ઘરમાં અને ઓફિસ માં આ રીતે લગાવો દોડતા ઘોડાની તસવીર- દોડવા લાગશે તમારી કિસ્મત

Sun-Mercury conjunction: આવતીકાલે સૂર્ય-બુધ યુતિથી આ ૪ રાશિઓનું ભાગ્ય પલટાશે, દરેક કાર્યમાં મળશે સફળતા.
Today’s Horoscope : આજનો દિવસ:૧૫ નવેમ્બર ૨૦૨૫, શનિવાર, જાણો આપનું રાશિફળ
Uppana Ekadashi: ઉત્પન્ના એકાદશી પર કરો આ મહાદાન! ભગવાન વિષ્ણુની કૃપાથી થશે ધન-સમૃદ્ધિમાં વધારો, જાણો શું છે શુભ
Today’s Horoscope : આજનો દિવસ:૧૪ નવેમ્બર ૨૦૨૫, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version