News Continuous Bureau | Mumbai
Hanuman Jayanti Shubh Sanyog : ભગવાન શિવના 11મા અવતાર અને ભગવાન શ્રી રામના વિશિષ્ટ સેવક તરીકે અવતરેલા પવન પુત્ર હનુમાનની જન્મજયંતિ ચૈત્ર મહિનાની શુક્લ પક્ષ પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુનો 7મો અવતાર એટલે કે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામનો જન્મ પૃથ્વી પર માનવ સ્વરૂપમાં રાક્ષસોનો નાશ કરવા માટે થયો હતો, પરંતુ ભગવાન શિવે ( Lord Shiva ) પોતે રામને મદદ કરવા માટે હનુમાનજીના રૂપમાં જન્મ લઈને આવ્યા હતા.
Hanuman Jayanti Shubh Sanyog : મંગળવારના ઉજવાશે હનુમાન જ્યંતી
કળિયુગમાં ચિરંજીવી દેવ તરીકે ઓળખાતા ભગવાન હનુમાનનો જન્મ અંજની અને પવનના પુત્ર તરીકે થયો હતો. હનુમાનજીને શક્તિ, બુદ્ધિ અને જ્ઞાનના પ્રમુખ દેવતા તરીકે પૂજવામાં આવે છે. પંચાંગ અનુસાર આ વખતે ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ 23 એપ્રિલ એટલે કે મંગળવારના રોજ સવારે 3.25 વાગ્યાથી શરૂ થઈ રહી છે. જે બુધવારે સવારે 05:18 સુધી ચાલશે. તેથી 23મી એપ્રિલને મંગળવારે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવશે.
Hanuman Jayanti Rashi par asar : ગ્રહોનો શુભ સંયોગ
આ વખતે હનુમાન જયંતિ પર ગ્રહોનો શુભ સંયોગ થવાનો છે. વાસ્તવમાં આ દિવસે મીન રાશિમાં પંચગ્રહી યોગ બની રહ્યો છે. તેમજ મેષ રાશિમાં બુધાદિત્ય યોગ બનવા જઈ રહ્યો છે. તો ચાલો જાણીએ કે હનુમાન જયંતિ પર ગ્રહોના આ શુભ સંયોગથી કઈ રાશિઓને ફાયદો થશે. હનુમાન જયંતિ પર બનેલા ગ્રહોનો સંયોગ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. વેપારમાં તમને સફળતા મળશે. હનુમાન જયંતિથી તમે કોઈ નવા કામની શરૂઆત કરી શકો છો.
આ સમાચાર પણ વાંચો : Hanuman jayanti prasad : હનુમાન જયંતિ પર મારુતિનંદન ને ભોગ તરીકે અપર્ણ કરો ઘરે બનાવેલા કેસરિયા બુંદીના લાડુ; મળશે આશીર્વાદ..
Hanuman Jayanti Shubh Sanyog : આ રાશિઓ ( Lucky Zodiac ) ની કિસ્મત ચમકશે
મિથુનઃ- હનુમાન જયંતિ પર મિથુન રાશિના લોકોને દેવાની સમસ્યામાંથી મુક્તિ મળશે. વ્યાપારીઓને સારો નફો કમાવવાની તક મળશે. બજરંગબલીના આશીર્વાદથી નવા કાર્યની સારી શરૂઆત થશે. અને સફળતા મળશે.
મેષ- મંગળ મેષ રાશિનો સ્વામી છે. તેથી આ રાશિ હનુમાનજીને પ્રિય છે. આ રાશિ પર હનુમાનજીની કૃપા હંમેશા બની રહે છે. મેષ રાશિના જાતકોને હનુમાનજીની નિયમિત પૂજા કરવાથી ઘણો ફાયદો થાય છે. વ્યક્તિને ધન-ધાન્ય અને સંપત્તિ મળે છે. કરિયરમાં સફળતા તેમ જ રોગો અને દુઃખોથી મુક્તિ મળે છે..
સિંહઃ- સિંહ રાશિનો અધિપતિ ગ્રહ સૂર્ય છે અને સૂર્ય ભગવાન હનુમાનજીના ગુરુ છે. તેથી જ સિંહ રાશિને હનુમાનજીની પ્રિય રાશિ ( Hanumanjini priya rashi ) ઓમાં પણ ગણવામાં આવે છે.સિંહ રાશિના લોકો પર હનુમાનજી હંમેશા પ્રસન્ન રહે છે. તેઓ નાની ઉંમરમાં જ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે.
વૃશ્ચિક- વૃશ્ચિક રાશિના જાતકો માટે હનુમાન જયંતિ શુભ રહેશે. કોઈ સારા સમાચાર મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે. કોર્ટના મામલામાં નિર્ણય તમારા પક્ષમાં આવશે.
કુંભ- કુંભ રાશિના લોકો માટે હનુમાન જયંતિ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો માનવામાં આવે છે.
(Note: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)