Site icon

Indira Ekadashi 2025: 17 સપ્ટેમ્બર બુધવારના રોજ મનાવવામાં આવશે ઇંદિરા એકાદશી એકાદશી, જાણો શું છે તેનું મહત્વ

Indira Ekadashi 2025: પિતૃપક્ષની એકાદશી તરીકે ઓળખાતી ઇંદિરા એકાદશી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે

Indira Ekadashi 2025 Date, Significance, Puja Vidhi and Parana Time

Indira Ekadashi 2025 Date, Significance, Puja Vidhi and Parana Time

News Continuous Bureau | Mumbai

હિંદુ ધર્મમાં એકાદશીનું વિશેષ મહત્વ છે. વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે, જેમાંથી પિતૃપક્ષમાં આવતી ઇંદિરા એકાદશી ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ વર્ષે ઇંદિરા એકાદશી 17 સપ્ટેમ્બર, બુધવારના રોજ મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરીને પિતૃઓ માટે તર્પણ કરવું શુભ માનવામાં આવે છે.

Join Our WhatsApp Community

ક્યારે છે ઇંદિરા એકાદશી 2025?

દ્રિક પંચાંગ અનુસાર, ઇંદિરા એકાદશી તિથિ 17 સપ્ટેમ્બર સવારે 12:21 વાગ્યે શરૂ થશે અને 11:39 રાત્રે પૂર્ણ થશે. વ્રત 17 સપ્ટેમ્બરે રાખવામાં આવશે અને પારણા 18 સપ્ટેમ્બર સવારે 06:07 થી 08:34 વચ્ચે કરવું યોગ્ય રહેશે.

ઇંદિરા એકાદશીનું મહત્વ

આ એકાદશી પિતૃઓ માટે સમર્પિત છે અને તેને શ્રાદ્ધ એકાદશી પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી પાપોનો નાશ થાય છે અને પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. વ્રતીને ધન, સુખ અને શાંતિ મળે છે. આ વ્રત કરનાર વ્યક્તિ અંતે વૈકુંઠ ધામ પામે છે.

આ સમાચાર પણ વાંચો : Shukra Gochar: 15 સપ્ટેમ્બરથી શુક્ર કરશે સિંહ રાશિમાં ગોચર , આ 6 રાશિઓના જીવનમાં આવશે સકારાત્મક પરિવર્તન

પૂજન વિધિ અને દાનનું મહત્વ

સવારમાં સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરી વ્રતનું સંકલ્પ લો. પિતૃઓને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપો. પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત કરીને દીવો પ્રગટાવો. પીળા ફૂલ અને મીઠાઈ અર્પણ કરો. પૂજા સામગ્રી ચઢાવીને વ્રત કથા સાંભળો અને અંતે આરતી કરીને પ્રસાદ વહેંચો. પિતૃઓની શાંતિ માટે ઘી, દૂધ, દહીં અને અનાજનું દાન કરવું શુભ માનવામાં આવે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Sunahala Gemstone Benefits: સુનહલા રત્ન બદલી શકે છે તમારી કિસ્મત: નોકરીમાં પ્રમોશન અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા ધારણ કરો આ રત્ન; જાણો પહેરવાના સાચા નિયમો.
Malavya Rajyog 2026: મીન રાશિમાં શુક્રના પ્રવેશથી ૩ રાશિઓને લોટરી લાગશે! માલવ્ય રાજયોગમાં મળશે કરિયર ગ્રોથ અને સુખ-સાધનો..
Today’s Horoscope : આજનો દિવસ:૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
14 Lokas in Hindu Mythology: આપણા બ્રહ્માંડની નીચે શું છે? પાતાળ લોકથી સત્ય લોક સુધીની યાત્રા અને અનંત કાળના રક્ષક શેષનાગની રહસ્યમય કથા..
Exit mobile version