Site icon News Continuous Bureau | Mumbai

Janmashtami 2025: જન્માષ્ટમી પર બની રહ્યો છે બુધાદિત્ય યોગ,જાણો ક્યારથી શરૂ થશે અષ્ટમી તિથિ

Janmashtami 2025: આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ 16 ઓગસ્ટના રોજ ઉજવાશે. આ દિવસે બુધાદિત્ય, ગજલક્ષ્મી સહિત અનેક શુભ યોગો બની રહ્યા છે, જે ભક્તો માટે અત્યંત કલ્યાણકારી રહેશે.

Janmashtami 2025: Budhaditya, Gajalakshmi and 6 Auspicious Combinations, Know When Ashtami Tithi Begins

Janmashtami 2025: Budhaditya, Gajalakshmi and 6 Auspicious Combinations, Know When Ashtami Tithi Begins

News Continuous Bureau | Mumbai

Janmashtami 2025:આ વર્ષે ભગવાન શ્રીકૃષ્ણનો (Shri Krishna) જન્મોત્સવ, જન્માષ્ટમી (Janmashtami), 16 ઓગસ્ટ 2025ના રોજ દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. ધાર્મિક માન્યતાઓ અને જ્યોતિષીય ગણતરીઓ (astrological calculations) અનુસાર, આ વર્ષની જન્માષ્ટમી પર બુધાદિત્ય (Budhaditya) અને ગજલક્ષ્મી (Gajalakshmi) યોગ સહિત કુલ 6 અત્યંત શુભ યોગ બની રહ્યા છે, જેના કારણે આ તહેવારનું મહત્વ અનેકગણું વધી ગયું છે. જોકે, તિથિને લઈને થોડો ગુંચવાડો છે, પરંતુ મોટાભાગના જ્યોતિષીઓ અને ધર્મગ્રંથો 16 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવવાનું જણાવી રહ્યા છે.

Join Our WhatsApp Channel

જન્માષ્ટમી તિથિ  અને નક્ષત્રનો સમય

ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ ના દિવસે મધ્યરાત્રિએ થયો હતો. આ વર્ષે અષ્ટમી તિથિ 15 ઓગસ્ટની રાત્રે 11:50 વાગ્યે શરૂ થઈને 16 ઓગસ્ટની રાત્રે 9:34 વાગ્યે સમાપ્ત થશે. આ વખતે રોહિણી નક્ષત્ર 17 ઓગસ્ટની સવારે 4:38 વાગ્યે શરૂ થઈ રહ્યું છે, તેથી તે અષ્ટમી તિથિ સાથે એકસાથે નથી. જોકે, શાસ્ત્રો અનુસાર, જ્યારે અષ્ટમી તિથિ રાત્રિના સમયે ઉપલબ્ધ હોય ત્યારે જન્માષ્ટમીની ઉજવણી કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ કારણોસર, 16 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉજવવી સૌથી શુભ રહેશે.

જન્માષ્ટમી પર 6 શુભ યોગ

આ વર્ષની જન્માષ્ટમી પર કેટલાક દુર્લભ અને શુભ યોગો (auspicious combinations) બની રહ્યા છે. આમાંથી બે મુખ્ય યોગ છે: બુધાદિત્ય યોગ (Budhaditya Yoga) અને ગજલક્ષ્મી યોગ (Gajalakshmi Yoga). આ યોગ ભક્તોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ભાગ્યમાં વધારો કરે છે. બુધાદિત્ય યોગ (Budhaditya Yoga) બુદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક છે, જ્યારે ગજલક્ષ્મી યોગ ધન અને સંપત્તિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત અન્ય 4 શુભ યોગ પણ બની રહ્યા છે, જેના કારણે આ જન્માષ્ટમીનું આધ્યાત્મિક મહત્વ વધી જશે.

આ સમાચાર પણ વાંચો : Lakshmi Narayan Rajyog: ૫૦ વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે લક્ષ્મી નારાયણ રાજયોગ, ‘આ’ રાશિઓને થશે ધનલાભ

પૂજા વિધિ અને મુહૂર્ત 

ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ રાત્રે 12 વાગ્યે મનાવવામાં આવે છે. આ સમયે કૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલને (Laddu Gopal) પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે, નવા વસ્ત્રો અને ઘરેણાં પહેરાવીને સુંદર રીતે શણગારવામાં આવે છે. ત્યાર બાદ તેમને ઝૂલામાં બેસાડીને ઝુલાવવામાં આવે છે. મધ્યરાત્રિની પૂજા દરમિયાન ફળ, મીઠાઈ, માખણ, મિશ્રી અને અન્ય પ્રસાદ  અર્પણ કરવામાં આવે છે. પૂજાનું આ મુહૂર્ત ભક્તો માટે અત્યંત ફળદાયી માનવામાં આવે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Numerology Mulank 1। અંકશાસ્ત્ર કોઈપણ મહિનાની ૧, ૧૦, ૧૯ કે ૨૮ તારીખે જન્મેલા લોકો આજે જ કરો આ ૭ ઉપાય, સૂર્યદેવની કૃપાથી ચમકી જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૨ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧ જૂન ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Feng Shui Tips। ઘરમાં વારંવાર કોઈ બીમાર પડે છે? ખૂણામાં આ રીતે મીઠું રાખવાથી દૂર થશે બધી આફતો!
Exit mobile version