કાળીઘાટ મંદિરએ પશ્ચિમ બંગાળના કોલકાતામાં સ્થિત એક હિન્દુ મંદિર છે, જે દેવી કાળીને સમર્પિત છે. તે 51 શક્તિપીઠોમાંનું એક છે. કલકત્તા નામ કાળીઘાટ શબ્દ પરથી ઉતરી આવ્યું હોવાનું કહેવાય છે. કાળીઘાટને ભારતના 51 શક્તિપીઠોમાંના એક તરીકે ગણવામાં આવે છે, જ્યાં સતીના શરીરના વિવિધ ભાગો શિવના રુદ્ર તાંડવ દરમિયાન પડ્યા હોવાનું કહેવાય છે. કાળીઘાટ તે સ્થળનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં દક્ષાયની અથવા સતીના જમણા પગનો અંગૂઠો પડયો હતો.