Site icon News Continuous Bureau | Mumbai

Karva Chauth: કરવા ચોથ પર ગ્રહોનો બની રહ્યો છે શુભ સંયોગ, ચોથ નું વ્રત આ 3 રાશિઓ માટે રહેશે અત્યંત શુભ

કરવા ચોથ પર ગ્રહ-નક્ષત્રો સાથે જોડાયેલા અનેક સંયોગ બની રહ્યા છે, જેની અસર મેષથી લઈને મીન રાશિ સુધીના લોકો પર પડશે. જાણો કરવા ચોથનું વ્રત કઈ રાશિઓ માટે લાભકારી રહેશે

Astrology અર્ધકેન્દ્ર યોગ ૪૮ કલાક બાદ આ રાશિઓનું ભાગ્ય ચમકશે; ગુરુ-સૂર્ય બનાવશે અદ્ભુત યોગ

Astrology અર્ધકેન્દ્ર યોગ ૪૮ કલાક બાદ આ રાશિઓનું ભાગ્ય ચમકશે; ગુરુ-સૂર્ય બનાવશે અદ્ભુત યોગ

News Continuous Bureau | Mumbai
Karva Chauth સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે કરવા ચોથનું વ્રત અત્યંત ખાસ હોય છે. આ વર્ષે કરવા ચોથનું વ્રત 10 ઓક્ટોબર, શુક્રવારના રોજ રાખવામાં આવશે. દર વર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ પતિના દીર્ઘાયુ અને ખુશહાલ લગ્નજીવનની કામનાથી નિર્જળા વ્રત કરે છે. આ દિવસે મહિલાઓ સૂર્યોદયથી લઈને ચંદ્રના ઉદય સુધી અન્ન અને જળ ગ્રહણ કર્યા વિના ઉપવાસ કરે છે. સાંજે કરવા માતાની પૂજા કર્યા બાદ અને ચંદ્રદેવને અર્ઘ્ય આપ્યા પછી વ્રતનું પારણા કરે છે.આ વર્ષે કરવા ચોથ પર ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ અત્યંત શુભ રહેવાની છે. જેના કારણે આ વ્રત કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ ફળદાયી માનવામાં આવી રહ્યું છે. કરવા ચોથના એક દિવસ પહેલા 9 ઓક્ટોબરના રોજ ધન-સંપદાના કારક શુક્ર કન્યા રાશિમાં ગોચર કરશે. કરવા ચોથના દિવસે એટલે કે 10 ઓક્ટોબરે સૂર્ય ચિત્રા નક્ષત્રમાં ગોચર કરશે અને ચંદ્રનું ગોચર વૃષભ રાશિમાં થશે. કરવા ચોથ પર ગ્રહોની સ્થિતિમાં થનારો બદલાવ ત્રણ રાશિઓને લાભકારી પરિણામ પ્રદાન કરી શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકો માટે કરવા ચોથનો તહેવાર શુભ રહેવાનો છે. તમને નોકરીમાં ઉન્નતિની સારી તકો મળી શકે છે. કોઈ નવા કામ કે વેપારની શરૂઆત કરવી અત્યંત શુભ રહેશે. જમીન, મકાન અને વાહનની ખરીદી માટે આ સમય લાભકારી રહેશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : UPI Launch: દેશ જ નહીં હવે વિદેશ માં પણ વાગશે UPIનો ડંકો,પીયૂષ ગોયલ એ આ દેશ માં સિસ્ટમ લોન્ચ કરતા કહી આવી વાત

કર્ક રાશિ

કર્ક રાશિના લોકો માટે કરવા ચોથ પર બનનારા ખાસ સંયોગ શુભ ફળ પ્રદાન કરી શકે છે. આ સમયે તમને રોકાણની સારી તકો મળી શકે છે. કાર્યોમાં સફળતા મળશે. વેપારીઓને નવી ભાગીદારી અથવા આર્થિક લાભ થઈ શકે છે. નોકરીની શોધ કરી રહેલા લોકોને સારા સમાચાર મળવાની સંભાવના છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકો માટે કરવા ચોથનો તહેવાર સારા પરિણામ આપી શકે છે. આ સમયે તમે તમારી વાણીથી લોકોનું દિલ જીતી શકો છો. નોકરી કરનારા લોકોને સિનિયર્સ તરફથી પ્રશંસા મળી શકે છે. દાંપત્ય જીવન સારું રહેશે. નોકરિયાત લોકોની સ્થિતિ પહેલા કરતા સારી થશે.

Four Months Money Success Zodiac આ રાશિઓનું ખુલશે કિસ્મતનું તાળું, આગામી ચાર મહિનામાં મળશે છપ્પરફાડ ધનલાભ અને સફળતા
Budhaditya Rajyoga બુધાદિત્ય રાજયોગ આ રાશિઓને આપશે શુભ ફળ નોકરીધંધામાં થશે પ્રગતિ અને ધનલાભ જ ધનલાભ
Vastu Tips Shape Of Roti વાસ્તુશાસ્ત્ર રોટલી વણતી વખતે ન કરો આ ભૂલો, ઘરમાંથી ગાયબ થઈ શકે છે બરકત!
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ જુલાઈ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version