Site icon

જય જય બાબા કેદારનાથ! 6 મહિના બાદ વૈદિક મંત્રોચ્ચાર સાથે ખુલ્યા કેદારનાથ ધામના દ્વાર, 15-ક્વિન્ટલ ફૂલોથી મંદિર શણગારાયું; જુઓ સુંદર તસવીરો, જાણો વિગતે 

હર- હર શંભુ, કેદાર ધામની ટોચ પર સજાવાશે સુવર્ણ કળશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આટલાં ભક્તોએ વ્યક્ત કરી આ ઈચ્છા

હર- હર શંભુ, કેદાર ધામની ટોચ પર સજાવાશે સુવર્ણ કળશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આટલાં ભક્તોએ વ્યક્ત કરી આ ઈચ્છા

News Continuous Bureau | Mumbai

ચાર ધામ(Chardham)માંથી એક બાબા કેદારનાથ ધામ(Baba Kedarnath Dham)ના કપાટ છ મહિના બાદ આજે (શુક્રવારે) સવારે 6 વાગીને 25 મિનિટે ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. ધામમાં પહેલી પૂજા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી(PM Narendra Modi)નાં નામે સંપન્ન કરવામાં આવી. અગાઉ અક્ષય તૃતીયા(Akshaya Tritiya)ના અવસરે એટલે કે ગત 3 મેના રોજ ચાર ધામ યાત્રા(Chardham Yatra)નો પ્રારંભ થયો હતો.

Join Our WhatsApp Community

બાબા કેદારનાથ ધામ(Baba Kedarnath Dham)ના દરવાજા આજે વૈદિક મંત્રોચ્ચાર અને વિધિવિધાન સાથે ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી (Uttarakhand CM Pushkar Singh Dhami)પણ ઉપસ્થિત રહ્યા હતા. મંદિરને 15 ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. કેદારનાથ ધામ(Baba Kedarnath Dham doors open)ના દરવાજા ખોલવાના સમયે 10 હજારથી વધુ ભક્તો(Devotee) હાજર રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : બમ બમ ભોલે! બાબા બર્ફાનીની પ્રથમ ઝલક આવી સામે, લિંક પર ક્લિક કરી ઘરે બેઠા કરો ભોલે બાબાના દર્શન..

ઉત્તરાખંડ સરકારે (Uttarakhand govt) ચાર ધામ યાત્રા માટે તીર્થયાત્રીઓની સંખ્યા નક્કી કરી છે. સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે એક દિવસમાં માત્ર 12 હજાર ભક્તો બાબા કેદારનાથ(Baba Kedarnath)ના દર્શન કરી શકશે, જ્યારે બદ્રીના(Badrinath)માં 15 હજાર, ગંગોત્રી(gangotri)માં 7 હજાર અને યમુનોત્રી(Yamunotree)માં 4 હજાર ભક્તોને જ દરરોજ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બદ્રીનાથ ધામના દરવાજા આગામી 8 મેના રોજ ખુલશે.

Ketu Nakshatra Transit 2026: માર્ચના અંતમાં કેતુનો મોટો ધડાકો! નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના શરૂ થશે ‘અચ્છે દિન’; કિસ્મતનો સાથ મળતા થશે ધનવર્ષા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dreaming of Snakes: સપનામાં સાપ દેખાય તો સમજી લો ચમકવાનું છે ભાગ્ય: અઠવાડિયાના આ દિવસે સાપ દેખાવો માનવામાં આવે છે અત્યંત શુભ
Exit mobile version