Site icon

જો તમને પણ મહેનત કરવા છતાં પણ ધન ની પ્રાપ્તિ નથી થતી તો આજે જ તમારી તિજોરીમાં પૈસા સાથે રાખો આ વસ્તુઓ-ધન નો થશે વરસાદ

News Continuous Bureau | Mumbai

દરેક વ્યક્તિ જીવનમાં પૈસા કમાવવા માંગે છે. આ હાંસલ કરવા માટે સખત મહેનત કરવી પડે છે. જો કે, જીવનમાં પ્રગતિ સખત મહેનતથી જ થાય છે. કેટલીકવાર નસીબ(luck) સાથ આપતું નથી અને તેઓ સંપત્તિ ભેગી કરી શકતા નથી. વાસ્તુશાસ્ત્ર(vastu shastra) અનુસાર, તમારા લોકરમાં અમુક વસ્તુઓ રાખવાથી તમે તમારા જીવનમાં પૈસા ને આકર્ષિત કરી શકો છો. વાસ્તુશાસ્ત્ર અનુસાર જાણો, કઇ-કઇ વસ્તુઓ લોકરમાં રાખવાથી મળે છે માં લક્ષ્મી ના આશીર્વાદ.

Join Our WhatsApp Community

– ભગવાન કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે. તમારા લોકરમાં(locker) એક જગ્યાએ ભગવાન કુબેરની મૂર્તિ રાખો. આનાથી પૈસા કમાવવાના ચાન્સ રહેશે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનમાં આર્થિક પ્રગતિ થાય છે.

– તમારા ઘરમાં મહત્તમ પૈસા આકર્ષવા માટે તમારા લોકરની અંદર એક નાનો અરીસો(mirror) મૂકો. અને ખાતરી કરો કે જ્યારે તમે લોકર ખોલો ત્યારે અરીસો તમને દેખાય.

– તમારી પસંદગી મુજબ કોઈ એક નોટ(note) લોકર માં રાખવી જોઈએ. અને આ નોટ ને ક્યારેય પણ તમારા લોકરમાંથી બહાર ન કાઢવી જોઈએ.

– કેટલીકવાર આપણે નકામી વસ્તુઓ લોકરમાં(locker) રાખીએ છીએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર બિનજરૂરી વસ્તુઓને લોકરમાં રાખવાનું ટાળો. આ સાથે દસ્તાવેજો, ચાવીઓ અને ફોટા રાખવાનું પણ ટાળો.

– વાસ્તુશાસ્ત્ર અનુસાર સ્વચ્છ લાલ કપડામાં 7 કોડીઓ(red cloth) ને બાંધો. અને તેને તમારા લોકરમાં રાખો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

આ સમાચાર પણ વાંચો : ઘરમાં કે ઓફિસ માં ભૂલ થી પણ આ દિશામાં ના રાખો માછલીઘર-થઈ શકે છે પૈસાની તંગી

 

Budh Gochar: 20 નવેમ્બર સુધી શનિના અનુરાધા નક્ષત્રમાં રહેશે બુધ, આ 3 રાશિઓ માટે આવશે શુભ સમય
Today’s Horoscope : આજનો દિવસ:૫ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
Surya Gochar: 9 નવેમ્બરથી સૂર્યનો અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓ માટે શરૂ થશે શુભ સમય
Kartik Purnima: દેવ દિવાળી અને કાર્તિક પૂર્ણિમા પર આ જગ્યાઓ પર દીવા પ્રગટાવો, માતા લક્ષ્મી થશે પ્રસન્ન
Exit mobile version