Site icon

Kendra Trikona Rajyog 2025: 30 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે કેદ્ર-ત્રિકોણ રાજયોગ, આ રાશિ ના જાતકો ને મળશે અચાનક ધન લાભ

Kendra Trikona Rajyog 2025: 13 જુલાઈએ શનિદેવ મીન રાશિમાં વક્રી થતા દુર્લભ યોગ બનશે, શુભ શનિ હોય તો ભાગ્ય ઉદ્ભવના યોગ

Kendra Trikona Rajyog Forming After 30 Years in Sawan, Scorpio and Sagittarius Signs to Benefit

Kendra Trikona Rajyog Forming After 30 Years in Sawan, Scorpio and Sagittarius Signs to Benefit

News Continuous Bureau | Mumbai

Kendra Trikona Rajyog 2025: વૈદિક જ્યોતિષ અનુસાર 13 જુલાઈ 2025ના રોજ શનિદેવ મીન રાશિમાં વક્રી થવાના છે. આ વક્રી ગતિથી 30 વર્ષ બાદ કેદ્ર-ત્રિકોણ રાજયોગ બનશે. આ યોગ ખાસ કરીને વૃશ્ચિક અને ધનુ રાશિના જાતકો માટે ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે. આ યોગથી અચાનક ધન લાભ, કારકિર્દીમાં વૃદ્ધિ અને સામાજિક પ્રતિષ્ઠા મળવાની શક્યતા છે.

Join Our WhatsApp Community

કેદ્ર-ત્રિકોણ રાજયોગ શું છે?

જ્યારે કુંડળીના કેદ્ર ભાવ (1, 4, 7, 10) અને ત્રિકોણ ભાવ (1, 5, 9)ના સ્વામી એકબીજાને સપોર્ટ કરે છે, ત્યારે કેદ્ર-ત્રિકોણ રાજયોગ બને છે. આ યોગથી વ્યક્તિને જીવનમાં સફળતા, ધન, અને માન-સન્માન મળે છે.

વૃશ્ચિક રાશિ માટે લાભ

શનિ વૃશ્ચિકના પંચમ ભાવમાં છે અને ત્રીજા તથા ચોથા ભાવના સ્વામી છે. આથી કેદ્ર-ત્રિકોણ રાજયોગ રચાય છે. વિદ્યાર્થીઓ, વેપારીઓ અને લગ્ન માટે રાહ જોઈ રહેલા લોકો માટે આ સમય શુભ છે. શનિની દૃષ્ટિ એકાદશ ભાવ પર હોવાથી સામાજિક સંપર્ક અને ભાગીદારીથી લાભ મળશે.

આ સમાચાર પણ વાંચો : Sawan 2025: શ્રાવણ માસમાં શિવલિંગ પર ચઢાવો ‘શિવા મુઠ્ઠી’, ખુલશે ભાગ્યના દરવાજા

ધનુ રાશિ માટે લાભ

શનિ ધનુના ચોથા ભાવમાં વક્રી છે, જે ઘર, સંપત્તિ અને વાહન સંબંધિત લાભ આપે છે. શનિની દૃષ્ટિ છઠ્ઠા ભાવ પર હોવાથી લોન, વિવાદ અને આરોગ્ય સંબંધિત બાબતોમાં સુધારો થશે. આ સમય ધન સંચય અને સ્થિરતા માટે અનુકૂળ છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Shani Asta 2026: ૧૩ માર્ચથી શનિ અસ્ત! સાડાસાતી અને ઢૈય્યાનો કહેર ઘટશે; આ ૪ ભાગ્યશાળી રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય.
Today’s Horoscope : આજનો દિવસ:૭ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Exit mobile version