Site icon

ધન ની વૃદ્ધિ માટે આજે જ ઘરમાં લગાવો ભગવાન વિષ્ણુનો આ પ્રિય છોડ-માતા લક્ષ્મીના આશીર્વાદથી થશે ધન નો વરસાદ- બધી મનોકામના થશે પૂર્ણ

News Continuous Bureau | Mumbai

વાસ્તુશાસ્ત્રમાં આવા અનેક છોડ વિશે માહિતી આપવામાં આવી છે, જેને તમારા ઘરમાં લગાવવાથી સફળતાની સાથે સાથે સકારાત્મક ઉર્જા (positive energy)પણ મળે છે. આ છોડ આપણા જીવન પર ઊંડી અસર કરે છે. તો આજે અમે તમને એવા જ એક છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનું વાવેતર કરવાથી તમને દરેક જગ્યાએથી સફળતાના સંદેશા મળવા લાગશે. આ છોડનું નામ અપરાજિતા(aparajita) છે. સંસ્કૃતમાં આ છોડને વિષ્ણુપ્રિયા, વિષ્ણુકાંત, ગિરિકર્ણી, અશ્વખુરા,કૃષ્ણકાન્તા કહેવામાં આવે છે.તેના ફૂલો સફેદ અને વાદળી રંગ ના હોય છે. ધાર્મિક માન્યતા છે કે વાદળી  અપરાજિતા ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. કૃષ્ણકાંતાની વેલાને વાસ્તુશાસ્ત્રમાં 'ધન બેલ' પણ કહેવામાં આવે છે. બીજી તરફ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કૃષ્ણકાંતાનો વેલો જેમ જેમ વધે છે તેમ તેમ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે વાદળી અપરાજિતાના શું ફાયદા છે અને તેને કઈ દિશામાં લગાવવું શ્રેષ્ઠ છે.

Join Our WhatsApp Community

1. વાસ્તુશાસ્ત્ર અનુસાર, વાદળી અપરાજિતાને(blue aparajita) ઘરમાં લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે.

2. એવી ધાર્મિક માન્યતા છે કે વિષ્ણુપ્રિયા હોવાને કારણે કૃષ્ણકાંતા એટલે કે વાદળી અપરાજિતા વેલો ધનલક્ષ્મીને પણ આકર્ષે છે. જે ઘરમાં આ છોડ લગાવવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મી (mata laxmi)સ્વયં નિવાસ કરે છે અને ધનવાન બનવા માટે કરવામાં આવેલી મહેનત સફળ થાય છે.

3. ઘરમાં વાદળી રંગનો અપરાજિતાનો વેલો લગાવવાથી પરિવારના સભ્યોની બુદ્ધિ તેજ બને છે. આ સાથે એવું પણ કહેવાય છે કે જો તેનું ફૂલ ભગવાન વિષ્ણુને (lord vishnu)ચઢાવવામાં આવે તો પરિવારનો ક્યારેય પરાજય થતો નથી.

4. એવું માનવામાં આવે છે કે શનિદેવને કૃષ્ણકાંતા સુંદર વાદળી ફૂલો એટલે કે વાદળી અપરાજિતા ના ફૂલ  અર્પણ કરવાથી શનિદેવ ની સાડેસાતી(Shani Dev) અથવા મહાદશાના કષ્ટોમાંથી પણ મુક્તિ મળે છે.

5. વાસ્તુ અનુસાર ઘરમાં ઉત્તર દિશામાં વાદળી અપરાજિતાનો(blue aparajita) વેલો લગાવવો જોઈએ. તેનાથી શુભ ફળ મળે છે અને ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. ધ્યાન રાખો કે આ વેલો પશ્ચિમ કે દક્ષિણ દિશામાં ક્યારેય ન લગાવવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો : ભૂલ માં પણ આ જગ્યાએ ઘરની દીવાલ પર અરીસો ન રાખશો- નહીતો થશે પૈસાની તંગી અને રહેશો બીમાર-જાણો અરીસા ને રાખવાની યોગ્ય દિશા વિશે

Today’s Horoscope : આજનો દિવસ:૧૩ જાન્યુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૨ જાન્યુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Lakshmi Narayan Rajyog 2026: 46 મહિનાની લાંબી પ્રતીક્ષાનો અંત! મકર રાશિમાં રચાશે ‘લક્ષ્મી નારાયણ રાજયોગ’, આ 4 રાશિઓ પર થશે અઢળક ધનવર્ષા
Today’s Horoscope : આજનો દિવસ:૧૦ જાન્યુઆરી ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version