Site icon

11ઓગસ્ટે આખો દિવસ રહેશે ભદ્રની છાયા -જાણો રક્ષાબંધન માં રાખડી બાંધવાના શુભ મુહૂર્ત વિશે

News Continuous Bureau | Mumbai

રક્ષાબંધન (Rakshabandhan)એ ભાઈ અને બહેનના પરસ્પર પ્રેમનો તહેવાર છે. બહેનો ભાઈઓના કાંડા પર રાખડી બાંધે છે અને તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિની કામના કરે છે. આ વર્ષે રક્ષાબંધન ભદ્ર યોગની(Bhadra yog) છાયામાં છે. 11 ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર ભાઈઓના કાંડા પર રાખડી બાંધવા માટે માત્ર એક કલાક અને 12 ઓગસ્ટના રોજ બ્રહ્મ મુહૂર્તમાં માત્ર 48 મિનિટનો સમય છે.હિંદુ કેલેન્ડર(Hindu calendar) મુજબ, રાખડી હંમેશા શુભ મુહૂર્ત પર બાંધવી જોઈએ. રક્ષાબંધનના દિવસે ભદ્રકાળનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ભદ્રકાળની છાયામાં રાખડી બાંધવામાં આવતી નથી. શાસ્ત્રોમાં (shastra)ભાદ્રાનો સમય ખૂબ જ અશુભ માનવામાં આવ્યો છે.શાસ્ત્રોમાં કહેવાય છે કે ભદ્રા શનિ મહારાજની બહેન છે જેને બ્રહ્માજીએ શ્રાપ આપ્યો હતો કે જે પણ ભદ્રામાં શુભ કાર્ય કરશે  તેને અશુભ ફળ મળશે. આમ  રાહુકાલ અને ભદ્રાના સમયે શુભ કાર્યો કરવામાં આવતા નથી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો રક્ષાબંધન સુધી આ 4 રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે-મંગળ-રાહુના સંયોગથી બની રહ્યો છે અશુભ યોગ-આવી શકે છે મોટી મુશ્કેલી

એક જ્યોતિષી (jyotoshi)ના જણાવ્યા અનુસાર ૧૧ ઓગસ્ટે સવારે  ૯ઃ૩૫  થી પૂનમ તિથિ પ્રારંભ થાય છે અને ૧૨ ઓગસ્ટ શુક્રવારે સવારે ૭ઃ૧૭ એ પૂર્ણ થશે. 11મી ઓગસ્ટે રક્ષાબંધન પર ભાઈના કાંડા પર રાખડી બાંધવાનો શુભ સમય(time) રાત્રે 8.50 થી 9.50 સુધીનો છે. કારણ કે આખો દિવસ ભદ્રા રહેશે.ભદ્રા માં રક્ષાબંધન ઉજવવામાં આવતી નથી.તેમણે કહ્યું કે 12 ઓગસ્ટે પૂર્ણિમા(purnima) એક કલાક માટે છે. તહેવાર ઉજવવા માટે લગભગ ત્રણ કલાકની તારીખ હોવી જોઈએ જે 12 ના રોજ નહીં હોય, તેથી પ્રદોષ કાળમાં 11 ઓગસ્ટે રાખી બંધન થશે. પરંતુ 12 ઓગસ્ટના રોજ સવારે 4.29 થી 5.17 સુધી બ્રહ્મ મુહૂર્તમાં રાખડી બાંધવા માટે મુહૂર્ત હશે. 

Shani Asta 2026: ૧૩ માર્ચથી શનિ અસ્ત! સાડાસાતી અને ઢૈય્યાનો કહેર ઘટશે; આ ૪ ભાગ્યશાળી રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય.
Today’s Horoscope : આજનો દિવસ:૭ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Exit mobile version