Site icon News Continuous Bureau | Mumbai

આજથી શરૂ થયા પિતૃ પક્ષ શ્રાદ્ધ, પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે આ વાતોનું રાખો ખાસ ધ્યાન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
આજથી પિતૃ પક્ષની શરૂઆત થઈ રહી છે. હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા માસની પૂર્ણિમા તિથિથી શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે. આ દિવસથી પિતૃઓને તર્પણ આપવામાં આવે છે.આ વખતે પિતૃ પક્ષ 20 સપ્ટેમ્બર, 2021થી શરુ થઈ પિતૃ અમાવસ્યા એટલે 06 ઑક્ટોબર સુધી રહેશે. હિન્દુ ધર્મની માન્યતા અનુસાર જે પરિજન પોતાનો દેહત્યાગ કરી પરલોક જતા રહે છે એમના આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે. 

મુંબઈમાં ગઈ કાલથી સતત વરસાદ ચાલુ છે, ક્યાં કેટલા મિલીમીટર વરસાદ; જાણો વિગત

Join Our WhatsApp Channel

હિંદુ માન્યતા અનુસાર જે પરિવારની વ્યક્તિ પોતાનો દેહ છોડીને પરલોક સિધાવ્યા છે તેમની આત્માની શાંતિ માટે તર્પણ કરાય છે. આ સિવાય યમરાજ પણ શ્રાદ્ધ પક્ષમાં જીવને મુક્ત કરે છે જેથી પરિજનો અહીં જઈને શાંતિ મેળવી શકે. એવું માનવામાં આવે છે કે પિતૃ શ્રાદ્ધ પક્ષમાં પૃથ્વી પર આવે છે અને પોતાના પરિજનોથી તર્પણ મેળવી એમને આશીર્વાદ આપે છે. એનાથી ઘરમાં સુખશાંતિ બની રહે છે. જો કોઈ વ્યક્તિ મૃત પરિજનને તર્પણ નહિ આપે તો પિતૃ નારાજ થઈ જાય છે, સાથે જ કુંડળીમાં પિતૃદોષ લાગી જાય છે.   

પિતૃ પક્ષમાં કોઈ પણ શુભ કાર્ય જેમ કે લગ્ન, સગાઈ, મુંડન, ગૃહપ્રવેશ, ઘર માટે મહત્ત્વની વસ્તુઓની ખરીદી વગેરે ન કરવું. આ સમયમાં નવાં કપડાં કે કોઈ પણ જાતની ખરીદી અશુભ ગણાય છે. આ દરમિયાન ખૂબ જ સાદું જીવન જીવવા અને સાત્ત્વિક ભોજન કરવા માટે કહેવામાં આવ્યું છે.

Today’s Horoscope : આજનો દિવસ:૪ જૂન ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Priti Yog 2026। ૮ જૂનથી ચમકી જશે આ ૪ રાશિઓનું ભાગ્ય! ‘પ્રીતિ યોગ’ ના મહાસંયોગથી ઘરમાં આવશે અઢળક પૈસા
Today’s Horoscope : આજનો દિવસ:૩ જૂન ૨૦૨૬,બુધવાર, જાણો આપનું રાશિફળ
Numerology Mulank 1। અંકશાસ્ત્ર કોઈપણ મહિનાની ૧, ૧૦, ૧૯ કે ૨૮ તારીખે જન્મેલા લોકો આજે જ કરો આ ૭ ઉપાય, સૂર્યદેવની કૃપાથી ચમકી જશે કિસ્મત
Exit mobile version