Site icon

Rahu Mahadasha: રાહુ મહાદશા, આ રાશિઓ માટે બની શકે છે ભાગ્યોદયનો સમય, ધન અને સફળતા નો થશે વરસાદ

Rahu Mahadasha: જ્યારે રાહુ શુભ હોય ત્યારે જીવનમાં આવે છે અચાનક સફળતા, નામ અને ધન, ખાસ કરીને આ રાશિઓ માટે.

Rahu Mahadasha These Zodiac Signs Thrive with Rahu Blessings, Wealth Flows In

Rahu Mahadasha These Zodiac Signs Thrive with Rahu Blessings, Wealth Flows In

News Continuous Bureau | Mumbai

Rahu Mahadasha: જ્યોતિષશાસ્ત્ર અનુસાર રાહુ અને કેતુ ને છાયા ગ્રહ માનવામાં આવે છે અને તેમની દિશા હંમેશા વક્રી હોય છે. રાહુની મહાદશા 18 વર્ષ સુધી ચાલે છે અને તે જીવનમાં ઊથલપાથલ, ભ્રમ અને અસ્થિરતા લાવી શકે છે. પરંતુ કેટલીક રાશિઓ માટે રાહુનું શુભ સ્થાન જીવનમાં અચાનક ધન, પ્રસિદ્ધિ અને સફળતા લાવી શકે છે. ખાસ કરીને સિંહ અને વૃશ્ચિક રાશિના જાતકો માટે રાહુની મહાદશા લાભદાયી સાબિત થાય છે.

Join Our WhatsApp Community

સિંહ રાશિ માટે રાહુ મહાદશા કેમ છે શુભ?

રાહુ ને સિંહ રાશિ ખૂબ જ પસંદ  છે કારણ કે આ રાશિ આગના તત્વ અને રાજસિક સ્વભાવ ધરાવે છે. જ્યારે રાહુ શુભ સ્થિતિમાં હોય છે ત્યારે સિંહ રાશિના જાતકોને રાજકીય ક્ષેત્ર, મીડિયા, અભિનય અને પ્રશાસન જેવા ક્ષેત્રોમાં અચાનક સફળતા મળે છે. આ સમયગાળામાં જાતકોને નવી ઓળખ, મોટી જવાબદારીઓ અને સામાજિક પ્રતિષ્ઠા મળે છે. જોકે, રાહુની માયાજાળથી બચવું જરૂરી છે, નહીં તો અહંકાર અને ભ્રમથી નુકસાન થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ માટે રાહુ લાવે છે આંતરિક શક્તિ

વૃશ્ચિક રાશિ રહસ્યમય અને પરિવર્તનશીલ રાશિ છે. રાહુ અહીં આવીને જાતકોની આંતરિક શક્તિ અને બુદ્ધિ વિકસાવે છે. આ રાશિના લોકો માટે રાહુ મહાદશા દરમિયાન ટેક્નોલોજી, ગુપ્ત વિજ્ઞાન, રિસર્ચ અને વિદેશી સંપર્કોમાં સફળતા મળે છે. આ સમયગાળામાં જાતકો આત્મવિશ્લેષણ અને આધ્યાત્મિક વિકાસ તરફ પણ આગળ વધે છે. જો રાહુ શુભ હોય તો આ સમયગાળો જીવન બદલાવી શકે છે.

આ સમાચાર પણ વાંચો : 

રાહુની અશુભ મહાદશા માટે ઉપાય

જો રાહુ અશુભ હોય તો ભગવાન શિવની ઉપાસના, મહામૃત્યુંજય મંત્રનો જાપ, શનિવારે નારિયેળ વધેરવું અને કાળા કૂતરાને રોટલી ખવડાવવી જેવા ઉપાયો લાભદાયી સાબિત થાય છે. સાથે સાથે યોગ, દાન અને નિયમિત સાધના પણ રાહુના નકારાત્મક અસરને ઘટાડે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Pitrupaksh 2025: પિતૃપક્ષ માં શા માટે મનાવવામાં આવે છે કુંવારા પંચમી, માતૃનવમી અને સર્વપિતૃ અમાવસ્યાનું શ્રાદ્ધ
Palmistry: જાણો હથેળી પર અર્ધ અને પૂર્ણ ચંદ્રના નિશાનનું હોવું તમારા જીવન વિશે શું સૂચવે છે
Today’s Horoscope : આજનો દિવસ: ૮ સપ્ટેમ્બર ૨૦૨૫, સોમવાર,જાણો આપનું રાશિફળ
Pitru Paksha 2025: પિતૃપક્ષમાં કરો આ વસ્તુઓનું દાન, દૂર થશે પિતૃ દોષ અને આર્થિક તંગી
Exit mobile version