Site icon

Raksha Bandhan 2025: રક્ષાબંધન પર બની રહ્યા છે બે શુભ યોગ, જાણો રાખડી બાંધવાનું મુહૂર્ત

Raksha Bandhan 2025: 9 ઓગસ્ટના દિવસે આખો દિવસ શુભ મુહૂર્ત છે જે રક્ષાબંધન માટે શ્રેષ્ઠ સમય છે.

Raksha Bandhan 2025 Two Auspicious Yogas and No Bhadra Shadow on Rakhi Day

Raksha Bandhan 2025 Two Auspicious Yogas and No Bhadra Shadow on Rakhi Day

News Continuous Bureau | Mumbai

Raksha Bandhan 2025: રક્ષાબંધન (Raksha Bandhan) ભાઈ-બહેનના પ્રેમ અને સુરક્ષાનું પ્રતિક છે. 2025માં આ તહેવાર 9 ઓગસ્ટના રોજ ઉજવાશે. ખાસ વાત એ છે કે આ વર્ષે રાખડી બાંધવા માટે બે શુભ યોગ  બનશે અને ભદ્રા નો કોઈ અસર નહીં રહેશે. આથી બહેનો પોતાના ભાઈને આખો દિવસ રાખડી બાંધી શકે છે.

Join Our WhatsApp Community

યોગ : રાખડી માટે બે શુભ સમય

હિંદુ પંચાંગ અનુસાર, 9 ઓગસ્ટના રોજ સૌભાગ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ બનશે. સૌભાગ્ય યોગ સવારે શરૂ થઈ રાત્રે 2:15 સુધી રહેશે, જ્યારે સર્વાર્થ સિદ્ધિ યોગ સવારે 5:47 થી બપોરે 2:23 સુધી રહેશે. આ બંને યોગ રાખડી બાંધવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે.

ભદ્રા: તહેવાર પર નહીં રહે કોઈ અસર

ભદ્રા  8 ઓગસ્ટના બપોરે 2:12 વાગ્યે શરૂ થઈ 9 ઓગસ્ટના સવારે 1:52 વાગ્યે સમાપ્ત થઈ જશે. એટલે કે 9 ઓગસ્ટના દિવસે ભદ્રા નો કોઈ અસર નહીં રહેશે અને આખો દિવસ રાખડી બાંધવા માટે અનુકૂળ રહેશે.

આ સમાચાર પણ વાંચો : Raksha Bandhan 2025: રક્ષાબંધન પર બહેનો ને તેમની રાશિ પ્રમાણે આપો ગિફ્ટ, યાદગાર બની રહેશે રક્ષાબંધન અને ભાઈ બહેન ના સંબંધ માં આવશે મધુરતા

મુહૂર્ત: રક્ષાબંધન માટે શ્રેષ્ઠ સમય

9 ઓગસ્ટના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે 4:22 થી 5:04 સુધી અને અભિજીત મુહૂર્ત બપોરે 12:17 થી 12:53 સુધી રહેશે. આ મુહૂર્તમાં રાખડી બાંધવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂર્ણિમા તિથિ 8 ઓગસ્ટના બપોરે 2:12 વાગ્યે શરૂ થઈ 9 ઓગસ્ટના બપોરે 1:24 વાગ્યે સમાપ્ત થશે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Shardiya Navratri 2025: નવરાત્રી માં માતા દુર્ગાના નવ સ્વરૂપોને અર્પણ કરો 9 અલગ-અલગ ભોગ, મળશે ધન-સંપત્તિ અને આશીર્વાદ
Sharadiya Navratri: શારદીય નવરાત્રી માં હીરાની જેમ ચમકશે આ રાશિઓનું નસીબ; આર્થિક સ્થિતિ થશે મજબૂત.
Today’s Horoscope : આજનો દિવસ: ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૫, શનિવાર,જાણો આપનું રાશિફળ
Hanuman chalisa: હનુમાન ચાલીસાની આ ચોપાઈ કરે છે ચમત્કાર, માત્ર જાપ કરવાથી બજરંગબલી આપે છે દર્શન
Exit mobile version