Site icon News Continuous Bureau | Mumbai

જય શ્રીરામ! કોરોના કાળમાં પણ રામ મંદિર બનવાનું કામ પૂર ઝડપે ચાલુ, જુઓ પ્રથમ તસવીર 

ન્યુઝ કન્ટિન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧ જુન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

500 વર્ષ પછી સનાતનીઓ માટે હરખની ઘડી આવી છે. રામ મંદિરનું કામ જોર શોર થી ચાલુ છે. રામ મંદિરનું કાર્ય ક્યાં સુધી પહોંચ્યુ તે જાણવા માટે દેશવાસીઓ ઉત્સુક છે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રએ આ વિશેની માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

હાલની માહિતી મુજબ સૌ પ્રથમ મંદિરનો પાયો ખોદવામાં આવ્યો હતો ત્યારબાદ પાયા ભરાવાનું કાર્ય ચાલુ છે. 400 ફૂટ લંબાઈ અને 300 ફૂટ પહોળાઈ વિસ્તાર (1.20 લાખ સ્ક્વેરફૂટ)માં મંદિરનો પાયો બની રહ્યો છે. એમાં 44 લેયર બનાવવામાં આવશે. અત્યાર સુધી પાયાનાં છ લેયર તૈયાર થઈ ગયાં છે. (લેયર 12 ઈંચ જાડાઈનું બનાવવામાં આવી રહ્યું છે.)

જોકે તાઉ-તે અને યાસ વાવાઝોડા-વરસાદને કારણે છેલ્લા કેટલાક દિવસથી કામ બંધ હતું, જે સોમવારથી ફરી શરૂ થયું છે. શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે ગઈકાલે (સોમવારે) કામકાજ જોવા માટે મંદિર પરિસરની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કામ આવતા ઓગસ્ટ સુધીમાં પૂરું થઈ જશે. 

 

ઉલ્લેખનીય છે કે અયોધ્યામાં રામ મંદિરના પાયામાંથી નીકળેલી જમીનને રામ મંદિરની પ્રસાદી માનીને એને ઘરે-ઘરે પહોંચાડવાની યોજના પર કામ શરૂ કરવામાં આવ્યું હતું. રોજ અહીં રામલલાનાં દર્શન કરવા માટે આવનારા શ્રદ્ધાળુઓ એને પવિત્ર રજકણ માનીને નાની ડબ્બી માં પોતાની સાથે લઈ જતા હતા.

  

Mangal Gochar 2026।મે મહિનામાં મંગળનું મેષ રાશિમાં ગોચર આ ૪ રાશિઓ માટે સર્જાશે ‘રાજયોગ’, ધનદૌલતનો થશે વરસાદ!
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ એપ્રિલ ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Lakshmi Narayan Yoga। ગ્રહોની શુભ ચાલ: એપ્રિલના અંતમાં રચાશે લક્ષ્મી નારાયણ યોગ, આ ૩ રાશિના જાતકો પર થશે ધનવર્ષા!
Today’s Horoscope : આજનો દિવસ:૨૦ એપ્રિલ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version