Site icon

Sawan 2025: શ્રાવણ માસમાં શિવલિંગ પર ચઢાવો ‘શિવા મુઠ્ઠી’, ખુલશે ભાગ્યના દરવાજા

Sawan 2025: શ્રાવણ ના સોમવાર કે દરરોજ શિવજીને પાંચ પવિત્ર અનાજની એક-એક મુઠ્ઠી અર્પણ કરવાથી મળે છે ધન, સુખ અને શાંતિ

Sawan 2025 Offer These Grains as ‘Shiva Muthi’ to Lord Shiva for Blessings and Success

Sawan 2025 Offer These Grains as ‘Shiva Muthi’ to Lord Shiva for Blessings and Success

News Continuous Bureau | Mumbai

Sawan 2025: શ્રાવણ માસ ભગવાન શિવ ના આરાધનાનો પવિત્ર સમય છે. આ સમયે શિવલિંગ પર અભિષેક ઉપરાંત ‘શિવા મુઠ્ઠી’  અર્પણ કરવાનું વિશેષ મહત્વ ધરાવે છે. શિવા મુઠ્ઠી એટલે કે શિવજીને એક-એક મુઠ્ઠી પવિત્ર અનાજ અર્પણ કરવું. આ ઉપાયથી મનચાહિત ફળ, ધન લાભ અને જીવનમાં શાંતિ પ્રાપ્ત થાય છે.

Join Our WhatsApp Community

શિવા મુઠ્ઠી માટે કયું  અનાજ અર્પણ કરવું?

એક આચાર્ય ના જણાવ્યા અનુસાર, શિવા મુઠ્ઠી માટે નીચેના પાંચ અનાજ ખૂબ શુભ માનવામાં આવે છે:

  1. અક્ષત – શિવજીને એક મુઠ્ઠી સાબૂત ચોખા અર્પણ કરવાથી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
  2. કાળા તલ  – ઘરમાંથી કલહ અને તણાવ દૂર કરવા માટે કાળા તલ અર્પણ કરો.
  3. મૂંગ દાળ – કાર્યમાં અવરોધ દૂર કરવા માટે પીળી મૂંગ દાળ અર્પણ કરવી.
  4. અરહર દાળ  – ધન અને સમૃદ્ધિ માટે પીળી અરહર દાળ અર્પણ કરવી.
  5. ઘંઉ – વૈવાહિક જીવનમાં સુખ અને સંતાન સુખ માટે ઘંઉ અર્પણ કરવું.

શિવા મુઠ્ઠી અર્પણ કરવાની રીત

આ પાંચ અનાજ એકસાથે નહીં, પણ અલગ-અલગ એક-એક મુઠ્ઠી કરીને શિવલિંગ પર અર્પણ કરવું. પછી ઘીનો દીવો પ્રગટાવીને ભગવાન શિવને પોતાની મનોકામના જણાવવી. આ ઉપાય શ્રાવણ ના દરેક દિવસે અથવા ખાસ કરીને સોમવારે કરી શકાય છે.

આ સમાચાર પણ વાંચો : Vipreet Rajyog 2025: 50 વર્ષ બાદ બનવા જઈ રહ્યો છે દુર્લભ વિપરીત રાજયોગ, આ 3 રાશિઓ માટે ખુલશે ભાગ્યના દરવાજા

શિવજીની કૃપાથી મળે છે સર્વસિદ્ધિ

શિવા મુઠ્ઠી અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ભક્તના જીવનમાં ધન, આરોગ્ય, શાંતિ અને સફળતા લાવે છે. આ ઉપાય સરળ હોવા છતાં ખૂબ અસરકારક માનવામાં આવે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Shani Asta 2026: ૧૩ માર્ચથી શનિ અસ્ત! સાડાસાતી અને ઢૈય્યાનો કહેર ઘટશે; આ ૪ ભાગ્યશાળી રાશિઓ માટે શરૂ થશે સુવર્ણ સમય.
Today’s Horoscope : આજનો દિવસ:૭ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Exit mobile version