Site icon

Sawan Putrada Ekadashi: 5 ઓગસ્ટે મનાવાશે સાવન પુત્રદા એકાદશીવ્રત, જાણો પૂજા વિધિ અને મહત્વ

Sawan Putrada Ekadashi: શ્રાવણ માસની શુક્લ પક્ષની એકાદશી પુત્રદા એકાદશી તરીકે ઓળખાય છે, જે સંતાન સુખ અને સમૃદ્ધિ માટે વિશેષ માન્યતા ધરાવે છે

Sawan Putrada Ekadashi Vrat on August 5: Know Date, Significance and Puja Vidhi

News Continuous Bureau | Mumbai

Sawan Putrada Ekadashi: શ્રાવણ મહિના ની શુક્લ પક્ષની એકાદશી, જેને પુત્રદા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે, આ વર્ષે 5 ઓગસ્ટ, મંગળવારના રોજ મનાવવામાં આવશે. આ પાવન દિવસે શ્રદ્ધાળુઓ ભગવાન વિષ્ણુની ઉપાસના કરીને સંતાન સુખ, દીર્ઘાયુ અને આરોગ્ય માટે વ્રત રાખે છે. પુત્રદા એકાદશીનું ધાર્મિક મહત્વ ખૂબ વિશિષ્ટ છે અને માન્યતા છે કે આ વ્રતથી પાપોનો નાશ થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે.

Join Our WhatsApp Community

પુત્રદા એકાદશી નું મહત્વ અને માન્યતાઓ

આ વ્રત ખાસ કરીને તે દંપતી માટે મહત્વપૂર્ણ છે, જેમને સંતાનની ઈચ્છા હોય. માન્યતા છે કે આ વ્રતથી માત્ર વર્તમાન સંતાનની રક્ષા જ નહીં થાય, પણ આગત સંતાનને પણ આયુષ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી પરિવારમાં સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે.

પુજા વિધિ અને સામગ્રી

મંગળવારના દિવસે શ્રદ્ધાળુઓ સવારમાં સ્નાન કરીને વ્રતનું સંકલ્પ લે છે. પછી શ્રી વિષ્ણુજીની પૂજા પીળા પુષ્પો, તુલસીદળ, પંચામૃત, ધૂપ-દીપ અને ભજન-કીર્તનથી કરવામાં આવે છે. સાંજના સમયે કથા શ્રવણ અને આરતી બાદ ફળાહાર લેવાય છે. પૂજામાં શ્રી વિષ્ણુજીનું ચિત્ર અથવા મૂર્તિ, પુષ્પ, નારિયેળ, સોપારી, ફળ, લવિંગ, ઘી, ચંદન, મિષ્ઠાન વગેરે સામગ્રીનો ઉપયોગ થાય છે.

આ સમાચાર પણ વાંચો : Raksha Bandhan 2025: રક્ષાબંધનના પાવન દિવસે રાશિ અનુસાર પસંદ કરો રાખડી અને વસ્ત્રોનો રંગ, ભાઈ બહેન ના સંબંધ માં આવશે મધુરતા

મુહૂર્ત અને પારણ સમય

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Ketu Nakshatra Transit 2026: માર્ચના અંતમાં કેતુનો મોટો ધડાકો! નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના શરૂ થશે ‘અચ્છે દિન’; કિસ્મતનો સાથ મળતા થશે ધનવર્ષા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Dreaming of Snakes: સપનામાં સાપ દેખાય તો સમજી લો ચમકવાનું છે ભાગ્ય: અઠવાડિયાના આ દિવસે સાપ દેખાવો માનવામાં આવે છે અત્યંત શુભ
Exit mobile version