News Continuous Bureau | Mumbai
Shani Asta 2026: ન્યાયના દેવતા શનિદેવ 13 માર્ચ 2026 ના રોજ મીન રાશિમાં અસ્ત થવા જઈ રહ્યા છે. શનિદેવ 22 એપ્રિલ સુધી અસ્ત અવસ્થામાં રહેશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, જ્યારે કોઈ ગ્રહ અસ્ત થાય છે, ત્યારે તેની શક્તિ ઓછી થઈ જાય છે, જેના કારણે કેટલીક રાશિઓ પર તેની અશુભ અસરો જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન ધન, સ્વાસ્થ્ય અને કરિયર સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.જ્યોતિષીઓના જણાવ્યા મુજબ, શનિના અસ્ત થવાને કારણે ચાર રાશિના જાતકોએ વિશેષ સાવધાની રાખવી પડશે. આ સમયગાળા દરમિયાન આર્થિક મોરચે મોટું નુકસાન થઈ શકે છે અને વ્યાવસાયિક જીવનમાં પણ ઉથલપાથલ થવાની સંભાવના છે. ચાલો જાણીએ કઈ છે એ ચાર ભાગ્યશાળી રાશિઓ જેણે 22 એપ્રિલ સુધી સંભાળીને રહેવું પડશે.
મેષ અને તુલા રાશિ પર અસર
મેષ રાશિ (Aries): આ રાશિના જાતકોએ નાણાકીય બાબતોમાં ખૂબ જ સતર્ક રહેવું પડશે. ઉતાવળમાં લીધેલા નિર્ણયો આર્થિક નુકસાનનું કારણ બની શકે છે. કોઈને ઉધાર આપવાનું ટાળો અને ગુસ્સા પર નિયંત્રણ રાખો. તુલા રાશિ (Libra): અસ્ત શનિ તુલા રાશિના જાતકોને પણ નુકસાન પહોંચાડી શકે છે. તમારે ખર્ચ પર કાપ મૂકવો પડશે. દેવું, લોન કે રોકાણ સંબંધિત નિર્ણયોમાં સાવધાની રાખવી. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Mumbai Weather Update: મુંબઈમાં ગરમીનો પારો 34 ડિગ્રીને પાર જવાની શક્યતા; ઠંડીની વિદાય સાથે ઉકળાટ વધશે, જાણો હવામાન વિભાગની આગાહી
વૃશ્ચિક અને મકર રાશિ માટે ચેતવણી
વૃશ્ચિક રાશિ (Scorpio): તમારે પણ અસ્ત શનિથી સાવધ રહેવું પડશે. પૈસાને લઈને મોટો વિવાદ થઈ શકે છે. મિલકત સંબંધિત મામલાઓ પરિવારમાં અશાંતિનું કારણ બની શકે છે. અહંકારથી દૂર રહેવું હિતાવહ છે. મકર રાશિ (Capricorn): શનિ તમારા ખર્ચમાં અચાનક વધારો કરશે. જે રોકાણ અત્યાર સુધી નફો આપતું હતું, તે અચાનક નુકસાનમાં (Loss) ફેરવાઈ શકે છે. માનસિક તણાવ અને થાકનો અનુભવ થઈ શકે છે.
અસ્ત શનિના દુષ્પ્રભાવથી બચવાના ઉપાયો
શનિના અશુભ પ્રભાવને ઘટાડવા માટે દર શનિવારે શનિદેવને સરસવનું તેલ અર્પણ કરો. તેલમાં કાળા તલ ભેળવવાથી વધુ લાભ થશે. દર શનિવારે ‘શનિ ચાલીસા’ નો પાઠ કરો અને કાળા કુતરાને રોટલી ખવડાવો. તમારી ક્ષમતા મુજબ ગરીબોને કાળા તલ, ગરમ ધાબળા અથવા કાળી અડદની દાળનું દાન કરવાથી શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.
