Site icon News Continuous Bureau | Mumbai

Shani Dev Puja: કુંભ, મીન અને મેષ રાશિવાળાઓ ની ચાલી રહી છે શનિ ની સાડેસાતી, આ રીતે કરો શાસ્ત્રોક્ત વિધિથી પૂજા, સાડેસાતીનો પ્રભાવ થશે ઓછો

Shani Dev Puja: શનિદેવની સાડેસાતી જીવનમાં પડકારો લાવે છે, આ ત્રણ રાશિવાળાઓ માટે ખાસ ઉપાયથી મળશે રાહત

Shani Dev Puja Reduce Sade Sati's Impact for Aquarius, Pisces, and Aries with This Ritual

Shani Dev Puja Reduce Sade Sati's Impact for Aquarius, Pisces, and Aries with This Ritual

News Continuous Bureau | Mumbai 

Shani Dev Puja: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ દરેક અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. 2025ના માર્ચ મહિનામાં શનિદેવનું ગોચર થયું હતું અને હાલમાં તેઓ મીન રાશિમાં સંચરણ કરી રહ્યા છે. આ કારણે કુંભ , મીન અને મેષ રાશિવાળાઓ પર સાડેસાતી ચાલી રહી છે. જો આ રાશિવાળાઓ શાસ્ત્રોક્ત વિધિથી શનિ પૂજા કરે તો સાડેસાતીનો પ્રભાવ ઘટી શકે છે.

Join Our WhatsApp Channel

શનિદેવ અને સાડેસાતીનો પ્રભાવ

શનિદેવને ન્યાયાધીશ માનવામાં આવે છે. તેઓ વ્યક્તિના કર્મો અનુસાર ફળ આપે છે. સાડેસાતી એ સમયગાળો છે જેમાં વ્યક્તિને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. ખાસ કરીને જ્યારે શનિ કુંડળીમાં નબળો હોય, તો આ સમય વધુ મુશ્કેલ બની શકે છે. પરંતુ સારા કર્મો અને નિયમિત પૂજાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને નકારાત્મક અસર ઓછી થાય છે.

શનિદેવની પૂજા કરવાની વિધિ

મેષ, કુંભ અને મીન રાશિવાળાઓએ શનિવારે શનિદેવની પૂજા કરવી જોઈએ. શનિ મંદિરમાં કાળા કે નીલા કપડા પહેરીને જવું, માટી કે લોખંડના દીપકમાં સરસવ તેલ ભરીને દીપ પ્રગટાવવો, શનિદેવને કાળા ફૂલ, શમી પત્ર અર્પણ કરવું અને શનિ ચાલીસા અથવા શનિ મંત્રનો પાઠ કરવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો : Solar and Lunar Eclipse: સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ વિશે જાણો પ્રાચીન સંસ્કૃતિઓની 7 આશ્ચર્યજનક માન્યતાઓ

શનિ શાંતિ માટે ખાસ ઉપાય

શનિદેવની કૃપા મેળવવા માટે શનિવારે કાળા કૂતરા ને રોટી ખવડાવવી, કાળા તલ , ધાબળો, અને કાળા જૂતાં-ચપ્પલ નું દાન કરવું, હનુમાનજીની પૂજા કરવી અને પીપળ વૃક્ષ માં જળ ચઢાવવું જોઈએ. આ ઉપાયો શનિદેવને પ્રસન્ન કરે છે અને સાડેસાતીનો પ્રભાવ ઘટાડે છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૨૦ મે ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Samudrik Shastra Lizard Falling। શરીર પર ગરોળી પડવી શુભ કે અશુભ? સામુદ્રિક શાસ્ત્રમાં છુપાયેલા છે દરેક અંગના આ ચોંકાવનારા સંકેતો!
Today’s Horoscope : આજનો દિવસ:૧૯ મે ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips For Wealth। જો ઘરમાં પૈસા ન ટકતા હોય તો ઉત્તર દિશામાં રાખો આ ૨ ચમત્કારી વસ્તુઓ, ખેંચાઈને આવશે સુખસમૃદ્ધિ
Exit mobile version