Site icon

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી ના ઘટસ્થાપના ના શુભ મુહૂર્ત ની સાથે જાણો ક્યારે છે સપ્તમી, અષ્ટમી અને નવમી તિથિ

Shardiya Navratri 2025: આ વર્ષે નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થશે, જાણો કઈ દિવસે માતા દુર્ગાના વિશેષ સ્વરૂપોની પૂજા કરવી

Shardiya Navratri 2025: Know the Dates of Saptami, Ashtami & Navami and Ghatasthapana Muhurat

Shardiya Navratri 2025: Know the Dates of Saptami, Ashtami & Navami and Ghatasthapana Muhurat

News Continuous Bureau | Mumbai

Shardiya Navratri 2025: શારદીય નવરાત્રી હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે, જે આશ્વિન માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથીથી શરૂ થાય છે. નવરાત્રીના નવ દિવસોમાં માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પ્રથમ દિવસે ઘટસ્થાપના અથવા કલશ સ્થાપના કરીને માતા ભગવતીનું સ્વાગત કરવામાં આવે છે. ખાસ કરીને સપ્તમી, અષ્ટમી અને નવમી તિથિઓમાં કન્યા પૂજન અને વિશેષ આરાધના કરવામાં આવે છે.

Join Our WhatsApp Community

શારદીય નવરાત્રી 2025 ક્યારે શરૂ થશે?

આ વર્ષે શારદીય નવરાત્રી 22 સપ્ટેમ્બરથી શરૂ થશે. ચતુર્થી તિથીમાં વૃદ્ધિ થવાને કારણે આ વખતે નવરાત્રી 9 નહીં પરંતુ 10 દિવસની રહેશે. નવરાત્રીનો આરંભ 22 સપ્ટેમ્બર, સોમવાર ના રોજ થશે અને સમાપન 2 ઓક્ટોબર, ગુરુવાર ના રોજ થશે.

ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત

દ્રિક પંચાંગ અનુસાર, પ્રતિપદા તિથી 22 સપ્ટેમ્બર સવારે 01:23 વાગ્યે શરૂ થશે અને 23 સપ્ટેમ્બર સવારે 02:55 વાગ્યે પૂર્ણ થશે. ઘટસ્થાપનાનું મુખ્ય મુહૂર્ત 22 સપ્ટેમ્બર સવારે 06:09 થી 08:06 સુધી રહેશે. ઉપરાંત અભિજિત મુહૂર્ત સવારે 11:49 થી 12:38 સુધી રહેશે.

આ સમાચાર પણ વાંચો : Dharmaranya Pindvedi: મહાભારત યુદ્ધ બાદ યુધિષ્ઠિરે અહીં કર્યું હતું પિંડદાન, જાણો ધર્મારણ્ય પિંડવેદી પર ત્રિપિંડી શ્રાદ્ધનું વિશેષ મહત્વ

સપ્તમી, અષ્ટમી અને નવમી તિથિઓ

આ તિથિઓમાં કન્યા પૂજન અને વિશેષ ઉપાસના દ્વારા માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Today’s Horoscope : આજનો દિવસ:૨૩ માર્ચ ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Ketu Nakshatra Transit 2026: માર્ચના અંતમાં કેતુનો મોટો ધડાકો! નક્ષત્ર પરિવર્તનથી આ ૩ રાશિઓના શરૂ થશે ‘અચ્છે દિન’; કિસ્મતનો સાથ મળતા થશે ધનવર્ષા.
Today’s Horoscope : આજનો દિવસ:૨૧ માર્ચ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: 20 માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version