શ્રી લક્ષ્મણી તીર્થ મધ્યપ્રદેશના અલીરાજપુરમાં સ્થિત એક પ્રાચીન જૈન મંદિર છે. એવું માનવામાં આવે છે કે આ તીર્થ લગભગ 2000 વર્ષ જૂનું છે. મંદિર ના મૂળનાયક શ્રી પદ્મ પ્રભુ સ્વામી છે. શ્રી પદ્મ પ્રભુ સ્વામીની સફેદ રંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. અહીં કાર્તિક પૂર્ણીમા અને ચૈત્ર પૂર્ણિમા પર વાર્ષિક મેળો ભરાય છે. મંદિરની નજીક, ત્યાં એક મહાન આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજનું "ગુરુમંદિર" પણ આવેલું છે…