Site icon News Continuous Bureau | Mumbai

Surya Gochar: 9 નવેમ્બરથી સૂર્યનો અનુરાધા નક્ષત્રમાં પ્રવેશ, આ રાશિઓ માટે શરૂ થશે શુભ સમય

Surya Gochar: સૂર્યના નક્ષત્ર પરિવર્તનથી મિથુન, સિંહ અને વૃશ્ચિક રાશિના જાતકોને મળશે સફળતા, આત્મવિશ્વાસ અને નવો આરંભ

Sun Transit in Anuradha Nakshatra from November 9 to Bring Fortune for These Zodiac Signs

Sun Transit in Anuradha Nakshatra from November 9 to Bring Fortune for These Zodiac Signs

News Continuous Bureau | Mumbai

Surya Gochar: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય ને શક્તિ, પ્રતિષ્ઠા અને નેતૃત્વનો કારક માનવામાં આવે છે. 19 નવેમ્બર 2025ના રોજ સૂર્ય અનુરાધા નક્ષત્ર માં પ્રવેશ કરશે અને 2 ડિસેમ્બર સુધી ત્યાં રહેશે. આ સમયગાળો ખાસ કરીને ત્રણ રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે. અનુરાધા નક્ષત્ર શિસ્ત, મહેનત અને સફળતાનો સંકેત આપે છે. આવો જાણીએ કઈ રાશિઓ માટે આ સમયગાળો લાભદાયક રહેશે.

Join Our WhatsApp Channel

મિથુન રાશિ – અટકેલા કામો આગળ વધશે

મિથુન રાશિના જાતકો માટે આ સમયગાળો ભાગ્યશાળી રહેશે. લાંબા સમયથી અટકેલા કામો હવે આગળ વધશે. નોકરી બદલવાની યોજના હોય તો સારા અવસરો મળશે. પરિવાર તરફથી શુભ સમાચાર મળી શકે છે અને લગ્નના યોગ પણ મજબૂત બનશે. વ્યવસાયમાં અનુભવી લોકો સાથે મુલાકાતથી લાભ થશે. પિતાની સાથેના સંબંધોમાં સુધારો આવશે.

સિંહ રાશિ – પ્રતિષ્ઠા અને પ્રમોશનના યોગ

સિંહ રાશિના જાતકો માટે સમય બદલાવ લાવનાર સાબિત થશે. લાંબા સમયથી અટકેલા કાનૂની કે મિલકત સંબંધિત મામલાઓ ઉકેલાઈ શકે છે. નોકરીમાં પ્રમોશન અથવા પદવૃદ્ધિના યોગ છે. કલા, મીડિયા અને લેખન ક્ષેત્રે કાર્યરત લોકો માટે આ સમય ખાસ લાભદાયક રહેશે. ઘરમાં શુભ પ્રસંગો યોજાઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો : Kartik Purnima 2025: કાર્તિક પૂર્ણિમા ૨૦૨૫ પર આ વખતે બનશે અતિ દુર્લભ સંયોગ, આ ૩ રાશિઓ પર વરસશે માતા લક્ષ્મીની અસીમ કૃપા, ધન લાભના યોગ

વૃશ્ચિક રાશિ – આત્મવિશ્વાસ અને સફળતાનો સમય

વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયગાળો વિકાસ અને સફળતાનો રહેશે. નવા વિચારો અને યોજનાઓ મનમાં આવશે. કોઈ નવો કોર્સ કે સ્કિલ શીખવાની ઈચ્છા થશે. આરોગ્યમાં સુધારો થશે અને દાંપત્ય જીવનમાં શાંતિ રહેશે. વાહન ખરીદવાનો સપનો પણ સાકાર થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે અને ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બનશે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Numerology Mulank 1। અંકશાસ્ત્ર કોઈપણ મહિનાની ૧, ૧૦, ૧૯ કે ૨૮ તારીખે જન્મેલા લોકો આજે જ કરો આ ૭ ઉપાય, સૂર્યદેવની કૃપાથી ચમકી જશે કિસ્મત
Today’s Horoscope : આજનો દિવસ:૨ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ:૧ જૂન ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Feng Shui Tips। ઘરમાં વારંવાર કોઈ બીમાર પડે છે? ખૂણામાં આ રીતે મીઠું રાખવાથી દૂર થશે બધી આફતો!
Exit mobile version