Site icon

વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ આ રાશિના જાતકો માટે નથી શુભ- જીવન માં થઇ શકે છે મોટા ફેરફાર-જાણો તે રાશિઓ વિશે

News Continuous Bureau | Mumbai

સૂર્યગ્રહણ એક એવી ઘટના છે, જેનું વિજ્ઞાનથી લઈને ધર્મ અને જ્યોતિષ સુધી ઘણું મહત્વ છે. વર્ષ 2022નું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ(Surya grahan) 25 ઓક્ટોબરે થવા જઈ રહ્યું છે. આ દિવસે ગોવર્ધન પૂજા પણ ઉજવવામાં આવે છે. અગાઉ, વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 30 એપ્રિલ 2022 ના રોજ થયું હતું, જે ભારતમાં(India) દેખાયું ન હતું. ઓક્ટોબરનું સૂર્યગ્રહણ લગભગ 4 કલાક અને 3 મિનિટ સુધી ચાલશે. ગોવર્ધન પૂજાના દિવસે આ સૂર્યગ્રહણની અસર તમામ 12 રાશિઓના જીવન પર પડશે. જ્યોતિષ શાસ્ત્ર (jyotish shastra)અનુસાર તેની શુભ અસર કેટલીક રાશિઓ પર જોવા મળશે. તે જ સમયે, કેટલીક એવી રાશિઓ છે જેના પર સૂર્યગ્રહણની નકારાત્મક અસર પડશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ચાલો જાણીએ કે સૂર્યગ્રહણ દરમિયાન કઈ રાશિના લોકોએ સાવધાન રહેવું જોઈએ.

Join Our WhatsApp Community

1. મિથુન : મિથુન રાશિના જાતકોએ મુસાફરી(traveling) દરમિયાન સાવધાન રહેવું જોઈએ. નોકરી કે બિઝનેસમાં થોડો ફેરફાર થઈ શકે છે. આ ફેરફાર તમારા માટે યોગ્ય રહેશે નહીં. આવી સ્થિતિમાં આ સમયે સમજી વિચારીને નિર્ણય લો. તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે.

2. વૃષભ : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સૂર્યગ્રહણ વૃષભ રાશિના લોકોને મુશ્કેલી આપી શકે છે. આ રાશિના લોકોના સ્વાસ્થ્ય(health) પર વિપરીત અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે.

3. તુલા : જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ સમયે સૂર્ય તુલા રાશિમાં રહેશે. આવી સ્થિતિમાં ગ્રહણની સૌથી વધુ અસર તુલા રાશિના લોકો પર પડશે. આ સમય દરમિયાન તેમને આર્થિક નુકસાન(financial crisis) થઈ શકે છે. સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. હૃદયરોગના દર્દીઓએ સાવચેત રહેવાની જરૂર છે.

4. કન્યા : આ સૂર્યગ્રહણ કન્યા રાશિના લોકો માટે પણ શુભ નથી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે લોકોનો બિઝનેસ વિદેશથી(abroad business) સંબંધિત છે, તેઓ આ સમયગાળા દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયો ન લે તો સારું રહેશે. આ દરમિયાન તમારા ખર્ચમાં વધારો થશે.

5. વૃશ્ચિક : વૃશ્ચિક રાશિના લોકો માટે પણ આ સૂર્યગ્રહણ યોગ્ય નથી. તમારી આવક ઘટી શકે છે. ધનહાનિ થઈ શકે છે. વાણી માં સંયમ નહીં હોય. ખોટી વાણી નુકસાન કરી શકે છે. પરિવારમાં(family problem) તણાવ થઈ શકે છે.

Sunahala Gemstone Benefits: સુનહલા રત્ન બદલી શકે છે તમારી કિસ્મત: નોકરીમાં પ્રમોશન અને સમાજમાં પ્રતિષ્ઠા મેળવવા ધારણ કરો આ રત્ન; જાણો પહેરવાના સાચા નિયમો.
Malavya Rajyog 2026: મીન રાશિમાં શુક્રના પ્રવેશથી ૩ રાશિઓને લોટરી લાગશે! માલવ્ય રાજયોગમાં મળશે કરિયર ગ્રોથ અને સુખ-સાધનો..
Today’s Horoscope : આજનો દિવસ:૨૭ ફેબ્રુઆરી ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
14 Lokas in Hindu Mythology: આપણા બ્રહ્માંડની નીચે શું છે? પાતાળ લોકથી સત્ય લોક સુધીની યાત્રા અને અનંત કાળના રક્ષક શેષનાગની રહસ્યમય કથા..
Exit mobile version