Site icon News Continuous Bureau | Mumbai

આખરે બે વર્ષ બાદ પ્રથમ વખત અંગારકી ચતુર્થી પર સિદ્ધિવિનાયકનું મંદિર ખુલ્યું; દર્શન માટે ભક્તોની જામી ભીડ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 23 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

મંગળવાર. 

કોરોનાના ઘટતા આખરે બે વર્ષ બાદ ભક્તજનો સિદ્ધિવિનાયકના ઓફલાઇન દર્શનનો લાભ લઈ શકશે.

પ્રાપ્ત જાણકારી મુજબ અંગારકી સંકષ્ટી ચતુર્થી નિમિત્તે પ્રભાદેવી સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં રૂબરૂ દર્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે. 

અંગારકી સંકષ્ટી ચતુર્થી નિમિત્તે આજે ગણપતિ બાપ્પાના દર્શન માટે ભક્તોની ભીડ જામી છે. 

જો કે, કોવિડ-19ના કારણે મંદિરોમાં બાપ્પાના દર્શનનો લાભ માત્ર મર્યાદિત સંખ્યામાં જ ભક્તો લઈ શકશે.

આ પ્રસંગે સિદ્ધિવિનાયક મંદિરના કાર્યકારી અધિકારીએ મિડિયાને જણાવ્યું હતું કે મંદિર કોરોનાના નિયમોને અનુસરીને ખોલવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે અંગારકીને દિવસે સિદ્ધિવિનાયક મંદિરમાં હજારો ભક્તોનો ધસારો થતો હોય છે પરંતુ લોકડાઉનના કારણે છેલ્લા બે વર્ષથી સિદ્ધિવિનાયક મંદિર બંધ હતું.

કૌભાંડનો ભોગ બનેલી PMC બેંકના ગ્રાહકો માટે રાહતના સમાચાર: આ બેંકમાં થશે PMCનું વિલીનીકરણ; આ રીતે મળશે ગ્રાહકોને ફસાયેલા રૂપિયા

Remedies for Mangal Dosha મંગળદોષને કારણે લગ્નમાં વિલંબ? આ ૫ અચૂક ઉપાયોથી દૂર થશે વિવાહના અવરોધો
Planetary Transit Update ગ્રહોની સ્થિતિમાં મોટો ફેરફાર, સૂર્ય અને નેપ્ચ્યુન વચ્ચે બનશે ‘કેન્દ્ર યોગ’, જાણો તમારી રાશિ પર અસર
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Gifts Vastu Tips for Gifts ભેટ આપતી વખતે ભૂલથી પણ ન કરો આ ભૂલો, સંબંધોમાં આવી શકે છે તિરાડ
Exit mobile version