Site icon

પાકિસ્તાન અને શ્રીલંકા સહિત દુનિયાના આ સ્થળોએ છે 51 શક્તિપીઠો- જાણો ક્યાં છે સિદ્ધ મંદિર

News Continuous Bureau | Mumbai

નવરાત્રીનો(Navratri) પ્રારંભ થઈ ચૂક્યો છે. નવરાત્રિના નવ દિવસ(Nine days of Navratri) દરમિયાન દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન તમામ શક્તિપીઠોમાં(Shaktipeeth) ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. નવરાત્રિમાં શક્તિપીઠની પૂજાનું વિશેષ મહત્વ છે. વિશ્વમાં કુલ 51 શક્તિપીઠો છે, ભારત સિવાય બાંગ્લાદેશ(Bangladesh), પાકિસ્તાન(Pakistan), નેપાળ(Nepal), તિબેટ અને શ્રીલંકામાં પણ શક્તિપીઠો આવેલા છે.

Join Our WhatsApp Community

કેટલાક શક્તિપીઠો ભારતના પડોશી દેશોમાં આવેલા છે. બાંગ્લાદેશમાં સૌથી વધુ 4 શક્તિપીઠ છે. પાકિસ્તાનમાં હિંગલાજ, બાંગ્લાદેશમાં સુગંધા દેવી શક્તિપીઠ, ચત્તલ ભવાની, જેશોરેશ્વરી, કર્તોયાઘાટ શક્તિપીઠ હાજર છે. આ ઉપરાંત નેપાળમાં બે મુક્તિધામ મંદિર, ગુહ્યેશ્વરી શક્તિપીઠ છે. જ્યારે શ્રીલંકામાં- ઈન્દ્રાક્ષી શક્તિપીઠ અને તિબેટમાં માનસ શક્તિપીઠ છે.

હિંગળાજ મંદિર(Hinglaj temple) – પાકિસ્તાનનું હિંગળાજ મંદિર દુનિયાભરમાં પ્રખ્યાત છે. પાકિસ્તાનનું હિંગળાજ શક્તિપીઠ બલૂચિસ્તાનમાં(Balochistan) છે, એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનના હિંગળાજ મંદિરમાં માતા સતીનું માથું કપાયું હતું. માતા સતીની આ શક્તિપીઠને 'નાની કા મંદિર' અથવા 'નાની કા હજ' તરીકે પણ ઓળખવામાં આવે છે.

જેશોરેશ્વરી કાલી મંદિર (Jeshoreshwari Kali Temple)- બાંગ્લાદેશમાં સૌથી વધુ 4 શક્તિપીઠ છે.વર્ષ 2017માં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi_ બાંગ્લાદેશના જેશોરેશ્વરી કાલી મંદિરમાં માતાના દર્શન કરવા ગયા હતા. વડાપ્રધાને માતાના દરબારમાં સોનાનો મુગટ પણ અર્પણ કર્યો હતો. . . . .

આ સમાચાર પણ વાંચો :  આજે નવરાત્રિનો બીજો દિવસ, જાણો શુભ સમય, માતા બ્રહ્મચારિણીની પૂજા પદ્ધતિ, શુભ રંગો અને આનંદ

મુક્તિધામ મંદિર-(Mukti Dham Mandir) નેપાળમાં ગંડક નદીના કિનારે પોખરા નામની જગ્યા છે, કહેવાય છે કે ત્યાં દેવી સતીના કાનનો બહારનો ભાગ કાપી નાખવામાં આવ્યો હતો. લોકોની એવી માન્યતા છે કે ગંડક નદીમાં સ્નાન કર્યા પછી જો કોઈ વ્યક્તિ માતાના દરબારમાં જઈને દર્શન કરે તો તે દરેક પ્રકારના પાપોથી મુક્ત થઈ જાય છે. . . . .

મનસા શક્તિપીઠ(Manasa Shaktipeeth)- મનસા દેવી શક્તિપીઠ તિબેટમાં સ્થિત છે, પુરાણો અનુસાર, દેવી સતીના ડાબા હાથની હથેળી ત્યાં પડી હતી. . . . .

Chandra Gochar 2026: ગુરુ-ચંદ્રની યુતિથી વસંત પંચમી બનશે ખાસ! આ ભાગ્યશાળી રાશિઓ પર થશે ધન અને જ્ઞાનનો વરસાદ.
Today’s Horoscope : આજનો દિવસ:21 જાન્યુઆરી ૨૦૨૬, બુધવાર , જાણો આપનું રાશિફળ
Vastu Tips: ક્યાંક તમારી પ્રગતિ તો નથી અટકી? ફ્રિજ ઉપર રાખેલી આ અશુભ વસ્તુઓ ખેંચી લાવે છે નકારાત્મકતા; જાણી લો વાસ્તુના ખાસ નિયમો
Panchak January 2026: પંચકનો પ્રારંભ: આજે રાત્રે 12 વાગ્યા પછી આ 5 ભૂલો તમને પડી શકે છે ભારે! નસીબ પણ નહીં આપે સાથ, અત્યારે જ જાણી લો નિયમો
Exit mobile version