Site icon News Continuous Bureau | Mumbai

શ્રાવણ મહિનામાં જો આ મંત્રોનો કરશો જાપ તો ભાગ્ય ચમકી ઉઠશે- જાણો તે મંત્ર વિશે

News Continuous Bureau | Mumbai

શ્રાવણ મહિના(Shravan month) નો આરંભ થઇ ગયો છે. ભક્તો(Devotees) મોટી સંખ્યામાં શિવ મંદિરોમાં(Shiva temples) જાય છે અને ભગવાનની પૂજા કરે છે. શ્રાવણ સોમવારનું(Shravan  Somwar) મુખ્ય મહત્વ ભગવાન શિવને(Lord Shiva) સમર્પિત છે. આ સમયગાળા દરમિયાન ભક્તો ઉપવાસ (વ્રત) કરે છે અને પૂજા કરે છે. કેટલાક લોકો સવારે સ્નાન કરીને ભગવાન શિવના મંદિરોમાં પણ જાય છે અને ભગવાનને પ્રણામ કરે છે. ભગવાન ભોલેનાથના(Lord Bholenath) ભક્તો માટે શ્રાવણ મહિનો વિશેષ ફળદાયી માનવામાં આવે છે.

Join Our WhatsApp Channel

શ્રાવણ માસના મહત્વનું વર્ણન શિવપુરાણમાં(Shiva Purana) પણ જોવા મળે છે. શિવપુરાણ અનુસાર જે પણ આ મહિનામાં ભગવાન ભોલેનાથની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરશે તેની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે.શ્રાવણ મહિનામાં સોમવાર વ્રત(Fast) રાખવાની સાથે, જો ભક્તો શિવને પ્રસન્ન કરવા માટે કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરી શકે. શિવપુરાણ અનુસાર આ મંત્રોના જાપ કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. આવો જાણીએ ભગવાન ભોલેનાથના તે મંત્રો વિશે.

આ સમાચાર પણ વાંચો : 11 ઓગસ્ટે આખો દિવસ રહેશે ભદ્રની છાયા -જાણો રક્ષાબંધન માં રાખડી બાંધવાના શુભ મુહૂર્ત વિશે

આ મંત્રોના જાપ કરીને ભોલેનાથને પ્રસન્ન કરો

શિવ શંભુને પ્રસન્ન કરવા માટે આ ખાસ મંત્રોનો જાપ શ્રાવણ માસમાં અથવા શ્રાવણીયા સોમવારે કરો.

શ્રી શિવાય નમઃ ।

શ્રી શંકરાય નમઃ ।

શ્રી મહેશ્વરાય નમઃ ।

શ્રી રુદ્રાય નમઃ ।

ॐ પાર્વતીપતયે નમઃ..

શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરીને સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરી શકાય છે. તેના માટે તમારે ॐ સામ્બ સદાશિવાય નમઃ । આ શિવ મંત્રનો 101 વાર જાપ કરવો પડશે.

દરેક મનુષ્યની ઈચ્છા હોય છે કે તે હંમેશા સ્વસ્થ રહે. જે ભક્ત શ્રાવણ મહિનામાં મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે છે તેનું સ્વાસ્થ્ય અવશ્ય સારું રહેશે. આ માટે તમારે 

ॐ હૂં જૂં સહ ઓમ ભૂર્ભુવઃ સ્વાહ

ॐ ત્ર્યમ્બકમ યજામહે સુગંધીમ પુષ્ટિવર્ધનમ

ઉર્વારુકમિવ બન્ધનાનમૃત્યોરમુક્ષિયા મમૃતા

સ્વાહ ભુવ ભુહ સસ લૂન હૂં .

શ્રાવણ મહિનામાં સંકટોએ પોતાના જ્ઞાનમાં વૃદ્ધિની કામના માટે ભગવાન ભોલેનાથનું ધ્યાન કરવું જોઈએ અને ॐ નમઃ શિવાય મંત્રનો જાપ પણ કરવો જોઈએ. પ્રસિદ્ધિ ઈચ્છતા ભક્તોએ ॐ હ્રીં નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ. 

આ સમાચાર પણ વાંચો : 7 ઓગસ્ટ થી 25 દિવસ સુધી શુક્રનું કર્કમાં પરિભ્રમણ થશે શરૂ- આ રાશિ ના જાતકો નું બદલાશે ભાગ્ય-થશે ઘણો ધન લાભ-જાણો તે રાશિઓ વિશે

Akshaya Tritiya 2026 અક્ષય તૃતીયાથી આ 5 રાશિઓની બદલાશે કિસ્મત! માતા લક્ષ્મીની અપાર કૃપાથી શરૂ થશે સુવર્ણકાળ
Today’s Horoscope : આજનો દિવસ:૧૮ એપ્રિલ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Numerology Number 9। ટેલેન્ટથી ભરપૂર હોય છે મૂલાંક 9 વાળા લોકો, પણ ગુસ્સો બની શકે છે પ્રગતિમાં અવરોધ! જાણો ભાગ્ય ચમકાવવાના ઐતિહાસિક અને સફળ ઉપાયો
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ એપ્રિલ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version