Site icon News Continuous Bureau | Mumbai

વાસ્તુ ટિપ્સ-પર્સમાં રાખેલી આ વસ્તુઓ બની જાય છે ગરીબીનું કારણ- ઘણું કમાઈને પણ ખિસ્સું રહે છે ખાલી

 News Continuous Bureau | Mumbai

પૈસાની અછત પાછળ ઘણા કારણો હોઈ શકે છે, આમાં વાસ્તુ દોષ(Vastu dosh) પણ જવાબદાર છે. વાસ્તુશાસ્ત્રમાં પર્સ કે પાકીટ(purse) સાથે સંબંધિત વાસ્તુ દોષો વિશે જણાવવામાં આવ્યું છે, જેની ઉપેક્ષા ધીમે ધીમે ગરીબી તરફ દોરી જાય છે. સારી કમાણી કર્યા પછી પણ વ્યક્તિ પૈસાની તંગીનો શિકાર બને છે. ઘણીવાર તેનું પર્સ ખાલી રહે છે. તેની પાછળ તેના પર્સ કે વોલેટમાં રાખેલી કેટલીક નકારાત્મક વસ્તુઓ(negative things) પણ જવાબદાર હોય છે.આ વસ્તુઓ એટલી અશુભ અને નકારાત્મકતા લાવે છે કે તેને પર્સમાં રાખવાથી ઘણું નુકસાન થાય છે. તેથી જાણી-અજાણ્યે ક્યારેય પણ આવી વસ્તુઓને પર્સમાં ન રાખો અને જો રાખી હોય તો તરત જ કાઢી નાખો.

Join Our WhatsApp Channel

1. ધારદાર વસ્તુઓઃ પર્સમાં ક્યારેય પણ ધારદાર કે ધાતુની વસ્તુઓ જેમ કે છરી, પીન, ચાવી (key)વગેરે ન રાખો. આમ કરવાથી માતા લક્ષ્મી નારાજ થઇ જાય છે અને ધીમે ધીમે વ્યક્તિના જીવનમાં દરિદ્રતા વધવા લાગે છે.

2. બિલ અથવા રસીદ: પર્સ અથવા વોલેટમાં બિલ અથવા રસીદ(bill) વગેરે ન રાખો. જો તેમને રાખવાની જરૂર હોય, તો પછી જ્યાં સુધી તેઓની જરૂર હોય ત્યાં સુધી જ રાખો. ઘણા લોકો ઘરના તમામ બિલ પર્સમાં રાખીને ફરતા રહે છે, જે ખોટું છે. કાગળોનો આ ઢગલો રાહુનું રૂપ ધારણ કરે છે અને પૈસાની ખોટ, બિનજરૂરી ખર્ચનું કારણ બને છે. 

3. પૂર્વજોની તસવીરોઃ પર્સમાં પૂર્વજોની તસવીરો રાખવી એ પણ ખોટું છે. પૂર્વજોનું સન્માન કરવું જોઈએ, તેમના ફોટા (pitru photo)આ રીતે પર્સમાં રાખવા એ ખોટું છે. આ દોષ તરફ દોરી જાય છે. તમારા ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં પૂર્વજોની તસવીરો લગાવવી વધુ સારું રહેશે.

4. દેવી-દેવતાઓની તસવીરઃ એવી જ રીતે પર્સમાં ભગવાનનું ચિત્ર(god photo) રાખવું પણ ખોટું છે. પૂજાઘરમાં ભગવાનનો ફોટો પણ આદરપૂર્વક રાખવો જોઈએ.

5. અવ્યવસ્થિત કે ચોળાયેલી નોટ: આ સિવાય પર્સ કે વોલેટમાં ક્યારેય પણ વાંકી ચુકી કે ચોળાયેલી નોટ ન રાખો. આવું કરવાથી માતા લક્ષ્મી (Mata Laxmi)નારાજ થાય છે. પૈસા ને  હંમેશા વ્યવસ્થિત રાખો.

આ સમાચાર પણ વાંચો : વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર આ વસ્તુઓ લગાવવાથી ઘર માં આવે છે સુખ-સમૃદ્ધિ

 

Today’s Horoscope : આજનો દિવસ: ૨૯ ઓગસ્ટ ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ
Today’s Horoscope : આજનો દિવસ: ૨૭ ઓગસ્ટ ૨૦૨૬, ગુરુવાર, જાણો આપનું રાશિફળ
Navpancham Rajyog 2026 ૧ સપ્ટેમ્બરે શનિગુરુનો મહાસંયોગ રચાશે શક્તિશાળી નવપંચમ રાજયોગ, આ ૩ રાશિઓનું ભાગ્ય ચમકશે!
Today’s Horoscope : આજનો દિવસ: ૨૬ ઓગસ્ટ ૨૦૨૬, બુધવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version