Site icon

કોરોનાને બાજુમાં મૂકીને હજારો લોકો ગયા કુંભ સ્નાન કરવા. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ,14 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

બુધવાર.

      સમગ્ર દેશમાં જ્યાં કોરોનાની ચર્ચા ચારે બાજુ ચાલે છે, ત્યાં જ કોરોનાના ભયને કોરાણે મૂકીને હજારો લોકો હરિદ્વારમાં ચાલી રહેલા કુંભ મેળામાં શાહી સ્નાન કરવા પહોંચી ગયા છે.

    આજે બૈસાખીના તહેવાર નિમિત્તે હરિદ્વારના કુંભમાં ત્રીજા શાહી સ્નાનનું આયોજન કરવામાં આવ્યું છે. માટે જ ગંગામાં ડૂબકી લગાડવા હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ હરિદ્વાર માં જમા થયા છે. આજે સવારથી જ ત્યાં ગંગા કિનારે શાહી સ્નાન ચાલુ છે. સામાન્ય જનતા પછી તમામ મોટા અખાડા ના સંતો શાહી સ્નાન કરશે. કુંભ મેળામાં ફરજ બજાવતાં એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, બૈસાખીના સ્નાનને ચાર શાહી સ્નાનો માં સૌથી મોટું શાહી સ્નાન માનવામાં આવે છે. આ વખતે લગભગ ૬ લાખ લોકો આ શાહી સ્નાનમાં ભાગ લેવા આવ્યા છે. જો કે વર્ષ 2010માં અહીંયા દોઢ કરોડ લોકો બૈસાખીના શાહી સ્નાન માં ભાગ લેવા આવ્યા હતા.

દેશમાં કોરોના બેકાબુ, અત્યાર સુધીના તમામ રેકોર્ડ તૂટ્યા. છેલ્લા 24 કલાકમાં 1 હજારથી વધુ દર્દીઓના નિપજ્યા મોત. જાણો તાજા આંકડા અહીં  
 

     ઉલ્લેખનીય છે કે,ઉત્તરાખંડના હરિદ્વાર શહેરમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા વધતી જ જાય છે. મંગળવારે કોરોનાના 594 નવા કેસ નોંધાયા હતા.

 

Vastu Tips for Success: શું તમારી પ્રગતિ અટકી ગઈ છે? વાસ્તુશાસ્ત્રના આ ૭ નિયમો અપનાવતા જ ખૂલી જશે સફળતાના દ્વાર; આજે જ કરો આ ફેરફાર
Surya Gochar 2026: હિન્દુ નવવર્ષનું અંતિમ સૂર્ય ગોચર: ૧૫ માર્ચથી ચમકી ઉઠશે આ ૫ રાશિઓનું ભાગ્ય; સૂર્યદેવની કૃપાથી થશે ધનનો વરસાદ..
Today’s Horoscope : આજનો દિવસ:૬ માર્ચ ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ
Vastu Tips for Spider Plant: શું તમારા ઘરમાં સ્પાઈડર પ્લાન્ટ છે? તેને યોગ્ય દિશામાં રાખવાથી બદલાઈ જશે તમારું નસીબ; જાણો ઘરના વાતાવરણ પર કેવી થાય છે અસર.
Exit mobile version