આજનો દિન વિશેષ(02/09/2020) – આજથી શ્રાદ્ધપક્ષ શરૂ

પરિવારના જે પૂર્વજોનું દેહાંત થઈ ચૂક્યું છે, તેમને પિતૃ કહેવામાં આવે છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ મૃત્યુ બાદ પુનર્જન્મ નથી લેતું, ત્યાં સુધી તે સુક્ષ્‍મલોકમાં રહે છે. એવું માનવામાં આવે છે કે આ પિતૃઓનો આશીર્વાદ સુક્ષ્‍મલોકથી પરિવારજનોને મળતો રહે છે. પિતૃપક્ષમાં પિતૃ ધરતી પર આવીને લોકોને આશીર્વાદ આપે છે અને તેમની સમસ્યાઓ દૂર કરે છે. પિતૃ એટલે કે આપણા મૃત પૂર્વજોનુ તર્પણ કરવાનો હિન્દુ ધર્મની એક ખૂબ પ્રાચીન પ્રથા અને પર્વ. હિન્દુ ધર્મમાં શ્રાદ્ધ પક્ષના સોળ દિવસ નક્કી કરવામા આવ્યા છે. જેથી તમે તમારા પૂર્વજોને યાદ કરો અને તેમનુ તર્પણ કરાવીને તેમને શાંતિ અને તૃપ્તિ પ્રદાન કરો. આજથી પિતૃપક્ષ શરૂ થઈ ગયો છે જે 17 સપ્ટેમ્બર સુધી રહેશે. 

પિતૃપક્ષમાં પૂર્વજોને સ્મરણ અને તેમની પૂજા કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. જે તિથિ પર આપણા પરિવારના સભ્યનું મૃત્યુ થયું હોય તે શ્રાદ્ધની તિથિ કહેવામાં આવે છે. ઘણા લોકોને પોતાના પરિવારજનોના મૃત્યુની તિથિ યાદ નથી રહેતી આવી પરિસ્થિતિમાં શાસ્ત્રોના અનુસાર આશ્વિન અમાસને તર્પણ કરવામાં આવી શકે છે. આ માટે અમાસને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે….

Join Our WhatsApp Community
Ketu Nakshatra Parivartan 2026: 2026માં કેતુનો ખેલ: નક્ષત્ર બદલાતા જ આ રાશિના જાતકો પર થશે ધનવર્ષા, શું તમારી રાશિ છે આમાં સામેલ?
Wednesday remedies: જો નસીબ સાથ ન આપતું હોય તો બુધવારે કરો આ ઉપાય, કરિયરથી લઈને બિઝનેસમાં થશે પ્રગતિ
Today’s Horoscope : આજનો દિવસ:૧૭ ડિસેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
Samsaptak Yog 2025: ગુરુ ગ્રહ બનાવશે સમસપ્તક યોગ, 20 ડિસેમ્બરથી જ આ રાશિઓની કિસ્મત ચમકશે, નવા વર્ષમાં પણ ધનલાભ
Exit mobile version