Site icon

વાસ્તુશાસ્ત્ર: જીવનમાં પરેશાનીઓ લાવી શકે છે વિખરાયેલા વીજળીના તાર, ઘરથી લઈને ઓફિસ સુધી પડે છે ખરાબ અસર

Vaastushastra: Scattered power lines can cause problems in life

Vaastushastra: Scattered power lines can cause problems in life

News Continuous Bureau | Mumbai

આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ઇલેક્ટ્રિક વાયર વિશે વાત કરીશું. ઘર હોય કે ઓફિસ, દરેક જગ્યાએ વીજળીના વાયર હોય કે વીજળીથી સંબંધિત વસ્તુઓ હોય જ છે. પરંતુ અહીં મુદ્દો એ છે કે ઘર અથવા ઓફિસમાં લોકો ઇલેક્ટ્રિકલ વસ્તુઓનો ઉપયોગ કર્યા પછી વારંવાર તેમના વાયરને એમ જ છોડી દે છે. જેમ કે મોબાઈલ ચાર્જર. તમે જોયું જ હશે કે લોકોના ઘરોમાં મોબાઈલ ચાર્જર સ્વીચમાં એમ જ લગાવીને રાખેલા હોય છે. મોબાઈલ ફોન ચાર્જ કર્યા પછી લોકો તેમાંથી પોતાનો મોબાઈલ કાઢી લે છે, પરંતુ ચાર્જરને કાઢીને સરખું મૂકવાનું ભૂલી જાય છે અને અથવા તો તેમની આદત પ્રમાણે ગમે તેમ મૂકીને જતા રહે છે. આવા અનેક ઉદાહરણો હશે, જે આપણે રોજિંદા જીવનમાં જોઈએ છીએ.

આ સમાચાર પણ વાંચો: મંગળ સાથે ક્યારેય ન રાખો આ ગ્રહની વસ્તુઓ, નહીં તો આવી શકે છે મુશ્કેલી!

વાસ્તુશાસ્ત્ર અનુસાર આ પદ્ધતિ બિલકુલ યોગ્ય નથી. તેનાથી નકારાત્મકતા ફેલાય છે અને પરિવારના સભ્યો સ્વભાવે ચીડિયા થાય છે. તેથી, કોઈપણ પ્રકારના વિદ્યુત ઉપકરણોના વાયરનો ઉપયોગ કર્યા પછી, તેને આ રીતે ખુલ્લા છોડવા જોઈએ નહીં. તેના બદલે, તેમને સરસ રીતે ફોલ્ડ કરીને એક જગ્યાએ રાખવા જોઈએ.

તેવી જ રીતે, જો કોઈ વિદ્યુત ઉપકરણનો વાયર વધુ પડતો મોટો હોય, તો તેને રબર અથવા દોરાની મદદથી બાંધી દેવો જોઈએ અને જરૂરિયાત મુજબ તેટલા જ વાયરને ખુલ્લા રાખવા જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં આ નાની નાની બાબતોનું ધ્યાન રાખીને તમે તમારા ઘર અને ઓફિસને નકારાત્મકતાથી બચાવી શકો છો. આશા છે કે આ વાસ્તુ ટિપ્સ અપનાવીને તમને ચોક્કસ ફાયદો થશે.

Exit mobile version