Site icon

Vastu Tips : ખોટી દિશામાં ટીવી મુકવાથી થાય છે ધનનું નુકસાન, જાણો વાસ્તુ અનુસાર સાચી દિશા

 News Continuous Bureau | Mumbai

સામાન્ય રીતે તમામ ઘરોમાં ટીવી (TV) હોય છે. કેટલાક લોકો લિવિંગ રૂમમાં ટીવી લગાવે છે તો કેટલાક લોકો બેડરૂમમાં. પરંતુ શું તમે જાણો છો કે તમારા ઘરમાં લગાવવામાં આવેલ ટીવી પણ આર્થિક સમસ્યા ઉભી કરી શકે છે. હા, જો તમે ટીવીને વાસ્તુ (Vastu Tips) અનુસાર યોગ્ય દિશામાં અને સ્થાને ન રાખ્યું હોય તો તેનાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.

Join Our WhatsApp Community

વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં હાજર નાની-મોટી વસ્તુઓની દિશા અને સ્થાન જણાવવામાં આવ્યું છે. વાસ્તુ અનુસાર ઘરમાં વસ્તુઓને વ્યવસ્થિત રીતે રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે અને વાસ્તુ દોષ દૂર થાય છે.

ટીવી વિશે વાત કરતાં વાસ્તુએ નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ટીવી રાખવાની સાચી દિશા વિશે પણ જણાવ્યું છે. જાણો વાસ્તુશાસ્ત્ર અનુસાર ટીવી કઈ જગ્યાએ અને દિશામાં રાખવું જોઈએ.

– વાસ્તુશાસ્ત્ર અનુસાર ટીવીને ઘરની દક્ષિણ-પૂર્વ અથવા પૂર્વ દિશામાં રાખવું જોઈએ. ટીવી રાખવા માટે આ દિશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે આ દિશામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

આ સમાચાર પણ વાંચો:  હરિ ઓમ. રાહુલ ગાંધીનો અદ્વૈત અવતાર જુઓ. કોઈ કહેશે કે આ અવતાર એવી પાર્ટીના વડા નો છે, જેણે ભગવાન શ્રીરામને કાલ્પનિક કેરેક્ટર કહ્યું હતું…. જુઓ ફોટોગ્રાફ.

– આ વાતનું પણ ધ્યાન રાખો, ટીવીને એવી રીતે લગાવો કે ટીવી જોતી વખતે તમારો ચહેરો પૂર્વ તરફ હોવો જોઈએ.

– ટીવી સાફ રાખો. ટીવી પર ગંદકી કે ધૂળ જમા થવા ન દો. આ નકારાત્મકતા તરફ દોરી શકે છે.

– ઘરના પ્રવેશદ્વારની બરાબર સામે ટીવી ન મૂકવું જોઈએ. જેના કારણે પરિવારમાં હંમેશા વિખવાદનું વાતાવરણ રહે છે.

 બેડરૂમમાં ટીવી રાખો, તો આ બાબતોનું ધ્યાન રાખો

વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra) અનુસાર બેડરૂમમાં ટીવી ન લગાવવું જોઈએ. પરંતુ જો તમારા બેડરૂમમાં ટીવી હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખો. જ્યારે તમે બેડરૂમમાં ટીવી ન જોતા હોવ તો તેની સ્ક્રીનને ઢાંકીને રાખો. બેડરૂમમાં ટીવી સ્ક્રીન ખુલ્લી રાખવાથી વાસ્તુ દોષ થાય છે. ટીવીને બેડરૂમમાં દક્ષિણ-પૂર્વ ખૂણામાં રાખો. આમાં કોઈ દોષ નથી. બેડરૂમમાં લગાવેલું ટીવી રૂમની મધ્યમાં બિલકુલ ન હોવું જોઈએ. જેના કારણે દાંપત્યજીવનમાં સમસ્યા સર્જાય છે.

Today’s Horoscope : આજનો દિવસ:૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ
Gemology Tips: વ્યાપારમાં મળશે બમણી પ્રગતિ: રત્ન શાસ્ત્રના આ ૩ રત્નો ચમકાવી શકે છે તમારું નસીબ; જાણો કઈ આંગળીમાં અને કયા દિવસે ધારણ કરવા
Surya Nakshatra Parivartan 2026: સૂર્ય અને રાહુનો ખતરનાક સંયોગ! આ રાશિના જાતકોને આર્થિક અને માનસિક ફટકો પડવાની શક્યતા; જાણો તમારી રાશિ પર શું થશે અસર
Today’s Horoscope : આજનો દિવસ:૧૬ ફેબ્રુઆરી ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ
Exit mobile version